બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nilgai and wild boar destroy farmers' standing crop in Sabarkantha, Gir-Somnath and Dwarka
Mehul
Last Updated: 05:40 PM, 9 March 2022
ગીરનાં ગામોના,જ્યાં ગીર જંગલ માંથી ખેડૂતો માટે નવી આફત આવી છે. ગીરનું જંગલ એટલે કોઈ મનુષ્ય વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે. પરંતુ એજ વન્ય પ્રાણીઓ માનવ વસાહતમાં આવી માનવ જીવ અને ખેડૂતોના પાકને નુકશાન કરે તો ?. બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે. ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસને કારણે ખેડૂતોએ ચાર મહિના મહેનત કરી તૈયાર કરેલો પાક તહેશનહેશ કરી નાખે છે. ગીર સોમનાથનાં ગીર બોર્ડર અને દરિયાઈ પટ્ટીનાં ગામોની ખેતીની જમીન માં ઉભા પાકનો સોથ વાળતા વન્યપ્રાણી નીલગાય, રોઝ અને ભૂંડને કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.
ગીર પંથકમાં આતંક
ગીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂંડ અને નીલગાય ખેડૂતોનાં પાકોને તબાહ કરી રહ્યા છે. કોડીનારના ખેડૂતો જંગલી પશુઓથી ત્રાસી અનેકવાર મામલતદાર અને કોડીનાર ધારાસભ્યને આવેદન પત્ર પણ પાઠવી પાકને બચાવવા રજૂઆત કરી શુક્ય છે. અને ગીર સોમનાથનાં ગ્રામ્ય વિસ્તારોનાં ખેડુતોને જંગલી પશુઓ બરબાદ કરી રહ્યા છે. આ સંદર્ભે વન વિભાગ જાગે અને સરકાર દ્વારા વન વિભાગને સૂચના આપી યોગ્ય કાર્યવાહી કરવા કહે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે જેથી અમારા પાકને બચાવી શકાય. વન્યપ્રાણી ઓથી ખેડૂતોના પાકને નુકશાન થાય અને સહાય મળે તે સહાય પણ ન જોઈએ. બસ ખેડૂતોને તો આ આતંક મચાવતા જંગલી ભૂંડ અને નીલ ગાયથી કાયમી માટે છુટકારો જોઈએ છે.
કલ્યાણપૂરમાં પણ આ જ સ્થિતિ
કલ્યાણપુર ખંભાળિયા ભાણવડ જેવા તાલુકાઓમાં મુખ્યત્વે મગફળીનું વાવેતર કરતા ખેડૂતોને રેઢિયાળ ઢોર તેમજ જંગલી પશુઓ રોઝ,ભૂંડ ના કારણે વ્યાપક પાકને નુકસાની વેઠવી પડી રહી છે આ મામલે ખેડૂતોએ અનેક વખત રજુઆત પણ કરી છે મગફળી ના પાકમાં ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે પરંતુ રોઝ અને જંગલી ભૂંડ ના કારણે પાકનું કચ્ચરઘાણ આ પશુઓ વાળી રહ્યા છે.
કલ્યાણપુર તાલુકામાં મગફળી એટલે શ્રેષ્ઠ ઉત્પાદન અને ખેડૂતોને સારું વળતર આપતો પાક પણ જંગલી ભૂંડ અને રોઝ રાતના સમયે જંગલોમાંથી ખેતરો સુધી પહોંચી જતા હોય છે જેના કારણે પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે ખેડૂતોને દિવસે ખેતીમાં ધ્યાન આપવું પડે છે તો રાતે જાગી ને આ જંગલી પશુઓનું ધ્યાન રાખવું પડે છે જંગલી પશુઓ ખેતરોમાં વિનાશ વેરી ચાલ્યા જાય છે ખોરાકની શોધમાં પશુઓ ખેતરોમાં વ્યાપક તબાહી નોતરી રહ્યા છે
ગૌચરની જમીનોમાં ઘાસ રહ્યું ન હોઈ ખેતરો સુધી આ પશુઓ ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે મગફળી પાક ને મૂળિયા સહીત આ પશુઓ ઉખેડી ફેંકે છે પશુઓના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વ્યાપક નુકસાની ખેડુતો વેઠી રહયા છે રેઢિયાળ અને જંગલી પશુઓ જંગલો ઓછા થતા ખોરાક ની શોધમાં ખેતરોમાં તબાહી સર્જી રહ્યા છે ત્યારે જગત તાતની હાલત કફોડી બની છે.
સાબરકાંઠામાં પણ ખેડૂતોને રંજાડ
આ સ્થિતિ માત્ર સૌરાષ્ટ્રમાં જ નથી સાબરકાંઠા જિલ્લામાં ખેતીના પાકને નીલગાય નુકસાન કરે છે. રાત્રી દરમિયાન ખેતરોમાં ઘૂસી જતી નીલગાય ખેતરના ઉભા પાકને નુકશાન કરે છે.ઉભો પાક નષ્ટ થતાં ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મોડી સાંજે લીલુછમ દેખાતું ખેતર સવાર સુધીમાં તો વેરાન થઇ જતું જોવા મળે છે. નીલગાયના ત્રાસથી તૈયાર પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ખેડૂતોએ રાત્રી સમયે ખેતરમાં પહેરો રાખવો પડે છે. ખેડૂતોના પહેરા બાદ પણ ખેતીના પાકને નુકસાન થાય છે. રાની પશુઓ રાત્રીના સમયે એકલ દોકલ ખેડૂતો પર પણ હુમલો કરે છે. ખેડૂતોની ફરિયાદ છે કે, સરકારની ખેત ફેન્સિંગ યોજનાની સબસિડી ખેડૂતો સુધી નથી પહોંચતી. પરિણામે સરકારની સબસિડીની યોજના માત્ર કાગળ પર હોવાની પ્રતીતિ થાય છે. ખેડૂતો નીલગાયથી રક્ષણ માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime