બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 10:41 AM, 8 May 2023
નવાઝદ્દીન સિદ્દીકી અને તેમની પત્ની આલિયા સિદ્દીકી પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. મોટાભાગે તે પોતાની પર્સનલ લાઈફને લઈને મીડિયામાં રહે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. એક વખત ફરી આલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
આલિયાએ નવાઝની ભુલોને પણ માફ કરતા આગળ વધીને ભવિષ્યને સારો આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે અતીતના ચક્રવ્યૂહમાં ફસાઈને રહેવું યોગ્ય નથી. ભુલોનું પુનરાવર્તન ન કરવાની સાથે ભવિષ્યને યોગ્ય આકાર આપવાનો પ્રયત્ન કરવાની વાત કહી છે. તેમણે કહ્યું છે કે અતીતના ચક્રવ્યૂહમાં ફસાઈને રહેવું યોગ્ય નથી. ભુલોને ફરીથી ન કરવાના વચનની સાથે તેમણે બાળકોના ભવિષ્યને એક સારા પ્રકાશથી ભરવાનો પ્રણ લેવાની વાત કહી છે.
આલિયાએ નવાઝના નામે લખી નોટ
આલિયાએ પોતાની નોટમાં લખ્યું, "હેલો નવાઝ.... નવાઝ આ પત્ર તમારા માટે છે મેં ઘણી જગ્યા પર સાંભળ્યું અને વાંચ્યું છે કે જીવન ચાલતા રહેવાનું નામ છે. આપણી વચ્ચે જે કંઈ પણ થયું પાછલા થોડા મહિનાઓમાં, હું તે બધી વસ્તુઓને ભુલીને પણ મારા ઈશ્વર પર આસ્થા રાખીને તેમની પ્રેરણાથી પોતાની ભુલોની માંફી માંગતા તમારી ભુલોને માફ કરતા આગળ વધીને ભવિષ્યને સારો આકાર આપવાનો પ્રયત્ન કરીશ. અતીતમાં ફસાઈને રહેવું કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈને રહેવાથી કમ નથી. માટે આ અતીતને પાછળ થોડીને આવી ભુલોનું ફરીથી પુનરાવર્તન ન કરવાથી સાથે અમે બાકોના ભવિષ્યને એક સારા પ્રકાશથી ભરવાનો પ્રણ લઈએ છીએ."
કેસ પરત લઈ રહી છે આલિયા
આલિયાએ જાહેરાત કરી છે કે નવાઝુદ્દીનની ફેમિલી પર જે કેસ કરવામાં આવ્યો છે તે બધા પરત લઈ રહી છે. આલિયાએ નવાઝુદ્દીનને લખેલા પત્રમાં કહ્યું છે કે તેમને તેમની પાસે કોઈ આર્થિક મદદ પણ નથી જોઈતી અને ન કોઈ આશા રાખે છે. આલિયાએ કહ્યું કે તે કહેવા માંગે છે કે તેમના નામે જે ઘર છે તે વેચીને તેમની ફિલ્મ બનાવવા માટે લીધેલું દેવું ચુકવી નાખવું જોઈએ. આલિયાએ નવાઝુદ્દીનના સારા સ્વાસ્થ્યની કામના કરતા લખ્યું કે તે બાળકોનું પણ સારી રીતે ધ્યાન રાખે.
આલિયાએ નવાઝને લઈને પત્રમાં કહ્યું છે કે તે સારા પતિ-પત્ની ન બની શક્યા. પરંતુ આશા છે કે સારા માતા-પિતા બની શકશે. એક બીજાને માફ કરવાની વાત કરતા આલિયાએ આગળ પગલું ભરવાની વાત કહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો