બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 09:20 AM, 24 March 2024
Indian Navy : નૌકાદળના વડા એડમિરલ આર હરી કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, તેમણે કહ્યું કે, ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને પગલે ચાંચિયાગીરી ઉદ્યોગ તરીકે ફરી ઉભરી આવી છે, પરંતુ હુથી બળવાખોરોએ ભારતીય ધ્વજવાળા કોઈપણ જહાજને નિશાન બનાવ્યું નથી. ભારતીય નૌકાદળે શનિવારે જણાવ્યું હતું કે, તેમણે સમુદ્રીય ક્ષેત્રમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને ધ્યાનમાં રાખીને ગયા વર્ષના મધ્ય ડિસેમ્બરથી તેની દરિયાઇ સુરક્ષા કામગીરીનો વિસ્તાર ફરી વધાર્યો છે.
એડમિરલ કુમારે 'ઓપરેશન સંકલ્પ'ના બીજા તબક્કા હેઠળ ચાલી રહેલી દરિયાઈ સુરક્ષા કામગીરીના 100 દિવસ પૂરા થવાના અવસરે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે, ઇઝરાયલ-હમાસ સંઘર્ષને પગલે ચાંચિયાગીરી 'ઉદ્યોગ તરીકે ફરી ઉભરી આવી છે', પરંતુ હુથી બળવાખોરોએ ભારતીય ધ્વજવાળા કોઈપણ જહાજને નિશાન બનાવ્યું નથી.
"In the last 10 years, this is the first time that pirates in such large numbers of pirates have been caught. They used the big hijacked ships as mother ships and they were moving around. This is what we have been trying to stop," Admiral R Hari Kumar, Chief of Naval Staff on the… pic.twitter.com/nAYZVn0wZQ
— ANI (@ANI) March 23, 2024
નેવી ચીફે કહ્યું, ઓપરેશન સંકલ્પનો પ્રથમ તબક્કો 2019માં શરૂ થયો હતો. તેનો મૂળ હેતુ પર્સિયન ગલ્ફમાંથી આવતા જહાજોને સુરક્ષા આપવાનો હતો, કારણ કે ત્યાં જહાજો પર કેટલાક હુમલાઓ થયા હતા અને અમે માત્ર એક જહાજની સતત હાજરી સાથે તેને જાળવી રાખ્યું.
#IndianNavy has responded to the manifestation of Israel – Hamas conflict in the maritime domain by re-orienting & significantly enhancing the scope of its ongoing #maritimesecurityoperations since mid-Dec 23. The navy undertook proactive actions during the hijacking of Malta… pic.twitter.com/r5dNiW6PN4
— SpokespersonNavy (@indiannavy) March 23, 2024
આ સાથે તેમણે કહ્યું કે, એકવાર અમને ડ્રોન, મિસાઇલ અને જહાજોને ચાંચિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી. અમે ડિસેમ્બરના મધ્યમાં શરૂ થયેલા બીજા તબક્કામાં આ 'ઓપરેશન સંકલ્પ'નું નવીકરણ કર્યું. લાલ સમુદ્રથી એડનના અખાત સુધી ઉત્તરીય અરબી સમુદ્ર અને સોમાલિયાના પૂર્વ કિનારે આવેલા સમુદ્ર સુધી આ તે વિસ્તાર છે જ્યાં અમે આ જહાજોને ગોઠવી રહ્યા છીએ. અમારું કામ સલામતી અને સ્થિરતા છે તેની ખાતરી કરવાનું છે, જેથી આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા અમારા વેપારી જહાજો સુરક્ષિત રીતે કિનારા સુધી પહોંચી શકે.
#WATCH | A look at the scope of the Indian Navy's Maritime Security Operations under Operation Sankalp, from December 14 till today.
— ANI (@ANI) March 23, 2024
(Source: Indian Navy) pic.twitter.com/3bzdxboCUM
શું કોઈ ભારતીય જહાજને હુથીઓએ સમુદ્રમાં નિશાન બનાવ્યું ?
છેલ્લા કેટલાક મહિનામાં લાલ સમુદ્ર અને પડોશી પ્રદેશોમાં હુથી બળવાખોરો દ્વારા ઘણા માલવાહક જહાજો પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું કોઈ ભારતીય જહાજને હુથીઓએ સમુદ્રમાં નિશાન બનાવ્યું છે અથવા નિશાન બનાવવાની નજીક આવી ગયું છે, તો તેમણે કહ્યું, તેમના દ્વારા કોઈ ભારતીય ફ્લેગ શિપને નિશાન બનાવવામાં આવ્યું નથી.
નૌકાદળના વડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, હુથીઓ ઇઝરાયેલ સાથેના સંબંધો ધરાવતા કોઈપણ જહાજને નિશાન બનાવી રહ્યા છે પછી ભલે તે ઇઝરાયેલની માલિકીની હોય કે ઇઝરાયેલનો ધ્વજ હોય અથવા ઇઝરાયેલમાં સફર કરતા હોય અથવા ઇઝરાયેલના બિઝનેસ હાઉસ સાથે જોડાયેલા હોય. આ તેમનો ઉદ્દેશ્ય રહ્યો છે.
"The Maritime Piracy Act 2022 has now enabled us to visit, board and search pirated ships. This act is a great enabler. In the last 100 days, we may have made at least 1000 such boardings," Admiral R Hari Kumar, Chief of Naval Staff on the 100 days of the Indian Navy’s operations… pic.twitter.com/Sorc8DyugJ
— ANI (@ANI) March 23, 2024
જ્યારે પૂછવામાં આવ્યું કે, આ ઓપરેશન્સ ક્યાં સુધી ચાલુ રહેશે તો તેમણે કહ્યું, જ્યાં સુધી હિંદ મહાસાગર ક્ષેત્ર સુરક્ષિત નહીં બને. એડમિરલ કુમારે કહ્યું, આના પર કોઈ સમયમર્યાદા આપી શકતા નથી, પરંતુ અમે ખાતરી કરીશું કે અમે ત્યાં તૈનાત છીએ અને વિસ્તાર સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે હકારાત્મક, સક્રિય અને રચનાત્મક પગલાં લઈશું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime