બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોતની નાસભાગમાંથી કેવી રીતે બચવું?, ભીડમાં ફસાયા હોય તો શું કરવું?, જાણો સેફ્ટી ટીપ્સ

બોધપાઠ / મોતની નાસભાગમાંથી કેવી રીતે બચવું?, ભીડમાં ફસાયા હોય તો શું કરવું?, જાણો સેફ્ટી ટીપ્સ

Jay Bhatt

Last Updated: 10:22 PM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં અનેકવાર નાસભાગની ઘટના બની છે, જેમાં ઘણા લોકોએ ગુમાવ્યા છે, ત્યારે આજે ભીડમાં ફસાયા હોય ત્યારે જીવ કેવી રીતે બચાવો અને મોતની નાસભાગમાંથી શું કરવું એનો ઉપાય જાણો...

Stampade Safety Tips : ભારત જેવા ગીચોગીચ દેશમાં ધાર્મિક મહોત્સવ હોય કે કોઈ રાજકારણી કે ફિલ્મ સ્ટારની રેલી હોય અથવા તો ક્રિકેટની કોઈ મોટી ઈવેન્ટ હોય તેમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. મંદિરો, યાત્રાધામોમાં તો ભીડ ભેગી થવી ખૂબ સામાન્ય છે. અગાઉ અનેક નાસભાગની દુર્ઘટના બની છે જેમાં બાળકો, મહિલાઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે આજે ભવિષ્યની નાસભાગ અટકાવવાનો તથા તેમાંથી બચવાનો ઉપાય અહીં જણાવાયો છે. સાથે એવું પણ કહેવાયું છે કે નાસભાગ ખરેખર શું છે અને કેવી રીતે પેદા થાય છે? નાસભાગ એટલે લોકોનું બેકાબુ ટોળું અને નાસભાગમાં લોકો બચવા માટે બીજાનો પણ ભોગ લેતા હોય છે અને બધા આ રીતે જ વિચારતાં હોય છે પરિણામે પરિસ્થિતિ વિસ્ફોટક બને છે અને મોટી જાનહાની થાય છે.

ગભરાટની સ્થિતિ સર્જાય ત્યારે નાસભાગ

નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે ભીડમાં ગભરાટની સ્થિતિ સર્જાય ત્યારે નાસભાગ મચી જાય છે. તેને ચિંતા અને ડરના કારણે માનસિક સ્થિતિ તરીકે જોવામાં આવે છે. પરિણામે દોડવાની કે લડવાની વૃત્તિ લોકોમાં સક્રિય બને છે. જેના કારણે લોકો ગભરાટમાં અહીં-ત્યાં દોડવા લાગે છે, અને કેટલીકવાર તેમના રસ્તામાં આવતા લોકોની પરવા પણ કરતા નથી અને તેમને કચડી નાખે છે. નિષ્ણાતો કહે છે કે, 'જ્યાં યોગ્ય રસ્તાઓ નથી ત્યાં ભીડ ભેગી થાય ત્યારે નાસભાગ થવાની શક્યતા વધુ રહે છે. આ ઉપરાંત ભીડ વ્યવસ્થાપનનો અભાવ પણ આવી દુર્ઘટનાઓનું કારણ બને છે. જો મોટી ઘટનાઓના નિયમો અને પ્રક્રિયાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે.

નાસભાગથી કેવી રીતે સુરક્ષિત રહેવું?

સૌપ્રથમ તો એ જાણવાની જરૂર છે કે શું એવું અનુમાન કરી શકાય કે નાસભાગ થવાની છે? નિષ્ણાતોના મતે, લોકો સામાન્ય રીતે સમજી શકતા નથી કે તેઓ નાસભાગમાં છે. જો તમને ક્યારેક પણ એવું લાગે કે લોકો બેકાબૂ થઈને અહીં તહીં દોડતાં જોવા મળે છે તો તમારે સમજી જવું જોઈએ કે આ નાસભાગનો સંકેત છે. જો તમને લાગે કે આવી પરિસ્થિતિ ઊભી થવાની છે તો તમારે મદદ માટે ફોન કરવો જોઈએ. જો તમે કોઈ મોટી ઈવેન્ટમાં હાજરી આપી રહ્યા હોવ, તો બહાર નીકળવાના રસ્તા જાણી લેવા જોઈએ અને ઈમરજન્સીમાં તરત બહાર નીકળી જવું જોઈએ અથવા તે જગ્યાએથી સલામત રીતે ખસી જવું જોઈએ. નાસભાગ ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે અગાઉથી યોગ્ય તૈયારીઓ કરવી. મતલબ કે પૂરતી જગ્યા અને સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ.

vtv app promotion

ઊંચાઈવાળા સ્થળ પર જાઓ

જો ભીડભાડવાળા ખૂબ જ ગીચ વિસ્તારમાં હોય તો તમારે ઊંચાઈવાળા સ્થળે જવાનો પ્રયાસ કરવો જોઈએ. ભીડમાંથી બહાર નીકળવા માટે ખાસ કરીને તમારે કોઈ બિલ્ડિંગ અથવા સ્ટેજ જેવા સ્થળ પર ચાલી જાવ. સામાન્ય રીતે ભીડવાળી જગ્યાએ ગરમી લાગતી હોય છે. પરસેવો છુટવા લાગતો હોય છે. તેથી, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરો અને આવી સ્થિતિમાં પાણી સતત પીતા રહેવું જોઈએ.

તમારા પાસે ઈમર્જન્સી કોન્ટેક્ટ રાખો

જ્યારે નાસભાગ થાય છે, ત્યારે તમે જે કરો છો તે સૌ પ્રથમ કિનારા પર આધાર શોધવાનું છે. ધારો કે તમે કોઈ શેરીમાં છો, તો તમે દિવાલ સાથે ઉભા છો. અથવા જો તમે ક્યાંક ખુલ્લામાં હોવ તો, થાંભલાના ટેકે ઊભા રહેવાનો પ્રયાસ કરો. તેનાથી ભીડમાં અટવાઈ જવાનો ખતરો ઓછો થશે અને તમારું પડવાનું જોખમ પણ ઘટશે. તમારા ફોનમાં ઈમર્જન્સી કોન્ટેકટ હોય તેનો ઉપયોગ કરો. સાથે આઈડી પ્રુફ જેવા ડોક્યુમેન્ટ રાખો. જેથી કોઈનો સંપર્ક કરી આ પરિસ્થીતીમાંથી બહાર નીકળી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stampade safety tips how to stay safe in stampedes stampade safety tricks
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ