બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભય, સરહદ ઉપર 72 આતંકી લોન્ચપેડ ખસેડાયા, અમે યુદ્ધ માટે તૈયાર : BSF

નેશનલ / ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભય, સરહદ ઉપર 72 આતંકી લોન્ચપેડ ખસેડાયા, અમે યુદ્ધ માટે તૈયાર : BSF

Priykant Shrimali

Last Updated: 11:53 AM, 30 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, જો ભારત સરકાર ઓપરેશન સિંદૂર 2.0 શરૂ કરવાનો નિર્ણય લે તો BSF દરેક પડકારનો જવાબ આપવા તૈયાર

Operation Sindoor : ભારત દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનની અંદર ભારે હડકંપ મચ્યો છે. આતંકવાદીઓને ભારત તરફ ઘૂસાડવા માટે બનાવાયેલા 72 કરતા વધુ લોન્ચપેડને પાકિસ્તાન તેની આંતરિક જમીન તરફ ધકેલી રહ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, જો ભારત સરકાર ઓપરેશન સિંદૂર 2.0 શરૂ કરવાનો નિર્ણય લે તો BSF દરેક પડકારનો જવાબ આપવા તૈયાર છે.

પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારોમાં 72 લોન્ચપેડ કાર્યરત

BSFના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ વિક્રમ કુંવરે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમ્યાન બીએસએફે સરહદની નજીકના અનેક લોન્ચપેડનો નાશ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન આ તમામ લોન્ચપેડને સિયાલકોટ, ઝફરવાલ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં ખસેડવા મજબૂર બન્યું.

હાલ સરહદની નજીક કોઈ નવા તાલીમ કેમ્પ નથી

DIG કુંવરે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર પછી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની ટોળકીઓ હવે મિલીને તાલીમ લઈ રહી છે, જે પાકિસ્તાનની આંતરિક બેચેનીનું મોટું સૂચન છે.

ભારત તરફ ઘૂસણખોરી થાય ત્યારે જ લોન્ચપેડ સક્રિય

અધિકારીઓ અનુસાર આ લોન્ચપેડ કાયમી નહીં હોય, જ્યારે ઘૂસણખોરી કરાવવી હોય ત્યારે જ તેમને સક્રિય કરવામાં આવે છે. આતંકવાદીઓને શિક્ષિત કરીને થોડોક સમય અહીં રાખવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં મોકલી દેવામાં આવે છે.

સરકાર કહે તે જ ક્ષણે લડવા તૈયાર : BSF IG

BSF IG શશાંક આનંદે સ્પષ્ટ જણાવ્યું કે, “1965, 1971, 1999નું કારગિલ કે તાજેતરનું ઓપરેશન સિંદૂર-BSF પાસે તમામ પ્રકારના યુદ્ધોમાં સમૃદ્ધ અનુભવ છે. જરૂર પડે તો અમે ફરી જવાબ આપવા તૈયાર છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે જમ્મૂ વિસ્તારમાં BSF એ 118 પાકિસ્તાની ચોકીઓનો નાશ કર્યો હતો અને તેમના સર્વેલન્સ સાધનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું.

હાલ સરહદ પર કોઈ ગંભીર આતંકી હિલચાલ નથી

BSF અધિકારીઓએ ખાતરી આપી કે, પાકિસ્તાનને થયેલા નુકસાનમાંથી બહાર આવવામાં હજુ સમય લાગશે. સરહદ પર હાલ કોઈ મોટી આતંકી હિલચાલ નોંધાઈ નથી. BSF પરિસ્થિતિ મુજબ પોતાની વ્યૂહરચના સતત બદલતી રહે છે.

આ પણ વાંચો : ઉત્તર ભારતમાં ઠંડીની લહેર, કાશ્મીરમાં પારો-6°, IMDએ આપી વધુ ઠંડીની ચેતવણી

ઓપરેશન સિંદૂરમાં ભારતીય દળોએ આતંકી છાવણીનો નાશ કર્યો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર એ નાગરિક અને લશ્કરી તંત્ર વચ્ચેના અદભુત સંકલનનું ઉદાહરણ છે. અમારો જવાબ સંતુલિત હતો, પરંતુ પાકિસ્તાનની પ્રતિક્રિયા જ સરહદ પરની પરિસ્થિતિ સામાન્ય થવામાં અવરોધ બની. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, દેશએ મોક ડ્રિલ મારફતે સુરક્ષા વ્યવસ્થાઓને જનતાની વચ્ચે યોગ્ય રીતે વિસ્તૃત કરી, જે પ્રશાસનના ઉત્તમ કાર્યનું પ્રતિબિંબ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Army Operation Sindoor Pakistan
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ