બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:27 AM, 10 January 2026
UP Ayodhya News: રામનગરી અયોધ્યામાં માંસાહાર ખોરાકને લઈ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા નોનવેજ ફૂડના વેચાણ અને ઓનલાઈન ડિલિવરીને લઈને પ્રશાસને એક મોટું પગલું ભર્યું છે. મળતી માહિતી મુજબ અયોધ્યામાં રામ મંદિર અને પંચકોશી માર્ગ પર નોનવેજ ફૂડના વેચાણ પર પ્રશાસને સંપૂર્ણ રોક લગાવી દીધી છે. સાથે જ ફૂડ ડિલિવરી એપને તાકીદ કરવામાં આવી છે તે તો આ વિસ્તારમાં નોનવેજ ફૂડ દિલીવિર નહીં કરી શકે. એવી ફરિયાદ આવી હતી કે પ્રવાસીઓ હોટેલમાં એપથી નોનવેજ ફૂડ ઓર્ડર કરતાં હતા જેના લીધે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતી હતી. અયોધ્યા પ્રશાસને આ મામલે કહ્યું છે કે આ દિશામાં કોઈ ઢીલ આપવામાં આવશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરવા પણ FIR પણ દાખલ થઈ શકે છે. પહેલા આ પ્રતિબંધ માત્ર ઢાબાઓ અને હોટેલ સુધી જ સીમિત હતો પણ હવે આ નિયમ ઓનલાઈન ડિલિવરી એપ્સ પર અમલી કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અયોધ્યા પ્રશાસને કહ્યું છે કે આ બાબતે કોઈ ઢીલ કે કોઈને છૂટ આપવામાં આવશે નહીં. અને જો નિયમોનું ઉલ્લંઘન થશે તો FIR પણ દાખલ થઈ શકે છે. આ પહેલા આ પ્રતિબંધ માટે હોટેલ અને નાની દુકાનો સુધી જ સીમિત હતો પણ પ્રવાસીઓ હોટેલમાં રહીને ઓનલાઈન એપ પર નોનવેજ ફૂડ મંગાવીને આરોગતા હતા જે ફરિયાદ અટકી નહિ અને તેથી સહાયક ખાદ્ય આયુક્ત માણિક ચંદ્ર સિંહે રક કડક પગલું અપનાવ્યું. તેમણે જણાવ્યું કે આ નિર્દેશને લઈને તમામને નોટિસ આપવામાં આવી છે. અયોધ્યા ધામથી પંચકોશી સુધી રેસ્ટોરન્ટ, દુકાનો, હોમસ્ટેમાં પણ નોનવેજ બનાવવું કે પીરસવા પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ ફૂડ ડિલિવરી એપ્સને પઆન કડક ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે આ નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે મોનીટરીંગ ચાલુ છે, કોઈ પણ લાપરવાહને છૂટ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે 15 કિલોમીટરનું પંચકોશી માર્ગ સરયૂ કિનારે આવેલો છે જ્યાં કપિલધારા, રામ રેશમ, શિવપુર, કણક - કણેશ્વર અને બાહુકની વચ્ચે ડઝન મંદિરો છે. એવામાં ભક્તો અંહિયા મોટી સંખ્યામાં આવે છે અને રામ નામ જપએ છે એવામાં આ પવિત્ર રસ્તા પર માંસાહાર ભોજનના વેચાણને લઈને ભક્તોએ નારાજગી વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.