બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CAA પર કેન્દ્રનો મોટો નિર્ણય, અંતે પાકિસ્તાનથી આવેલા લઘુમતીઓ માટે ખુલ્યા કિસ્મતના દરવાજા

ખુશખબર / CAA પર કેન્દ્રનો મોટો નિર્ણય, અંતે પાકિસ્તાનથી આવેલા લઘુમતીઓ માટે ખુલ્યા કિસ્મતના દરવાજા

Published By: Priyankka Triveddi

Last Updated: 01:50 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ મંત્રાલયે એક ઓર્ડર બહાર પાડ્યો છે જેમાં ધાર્મિક હેરાનગતિને લીધે 31 ડિસેમ્બર 2024 પહેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારત આવેલા લોકોને પાસપોર્ટ અને વિઝાની છૂટ આપવામાં આવશે. આ મહત્ત્વનો નિર્ણય ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હજારો હિન્દુઓ સહિત ઘણા લોકો માટે એક રાહત ભરેલું પગલું છે.

Citizenship Amendment Act: ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને કારણે 31 ડિસેમ્બર 2024 સુધી ભારતમાં આવેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીને પાસપોર્ટ અને વિઝાની જરૂરિયાતમાંથી મુક્તિ આપતો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓ સહિત હજારો લોકો માટે રાહત છે.

31 ડિસેમ્બર 2024 પહેલા ભારત આવેલા લોકોને મુક્તિ

કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોને મોટી રાહત આપી છે જેઓ ધાર્મિક ઉત્પીડનથી બચીને ભારત આવ્યા હતા. ગૃહ મંત્રાલયે એક આદેશમાં કહ્યું છે કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો જેઓ 31 ડિસેમ્બર 2024 સુધી ભારત આવ્યા છે તેમને પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો વિના પણ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ આદેશ ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળ જારી કરવામાં આવ્યો છે. આ હેઠળ એવા લોકોને રાહત આપવામાં આવશે જેઓ માન્ય પાસપોર્ટ અને વિઝા વિના ભારત આવ્યા હતા અથવા જેમના ડોક્યુમેન્ટની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયના આદેશમાં જણાવાયું છે કે જે લોકો ધાર્મિક અત્યાચાર અથવા તેના ડરને કારણે ભારતમાં આવ્યા હતા અને 31 ડિસેમ્બર 2024 સુધી દેશમાં પ્રવેશ્યા હતા તેમને પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.

વધુ વાંચો: સિંગતેલ મોંઘુ થયું, તહેવારોની સીઝનમાં જ જનતાને ઝટકો, જાણો ડબ્બે કેટલાનો વધારો

Vtv App Promotion 1

CAA પર કેન્દ્રનો નિર્ણય

નોંધનીય છે કે CAA ગયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો. આ હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયો - હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી - જો તેઓ 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવ્યા હોય તો તેમને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. 2014 પછી પણ ધાર્મિક અત્યાચારથી બચવા માટે ઘણા લોકો ભારત આવ્યા હતા. તેમાં પાકિસ્તાનથી આવતા હિન્દુઓની સંખ્યા વધુ છે. આ આદેશથી આવા લોકોને મોટી રાહત મળી છે કારણ કે હવે તેમને દેશમાં રહેવા માટે પાસપોર્ટ કે વિઝાની માન્યતા દર્શાવવાની જરૂર રહેશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CAA New Rules Citizenship Amendment Act Hindu Minority

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ