બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:19 AM, 21 May 2025
Retreat ceremony at attari border: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. જેમાં અમૃતસરમાં અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને તણાવ ઓછો થઈ રહ્યો છે. તો ફરી એકવાર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અટારી બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે પહેલા અને હવેની સરખામણીમાં તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નવા ફેરફાર હેઠળ ન તો દરવાજો ખોલવામાં આવશે અને ન તો બંને દેશોના કમાન્ડરો હાથ મળાવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ આ સરહદ બંધ કરી દેવામાં આવી હતી.
આ નિર્ણય અંગે એવું કહેવામાં આવ્યું હતું કે અટારી બોર્ડર પર આયોજિત રીટ્રીટ સમારોહ દેશની સરહદ સુરક્ષાનું પ્રતીકાત્મક પ્રદર્શન છે. જેમાં ધ્વજ ઉતારવાની કવાયતનું વિશેષ મહત્વ છે. આ પરંપરાગત પ્રદર્શન જોવા માટે લોકોમાં સ્વાભાવિક ઉત્સાહ છે. આ સમારોહ દેશવાસીઓમાં સશસ્ત્ર દળો પ્રત્યે કૃતજ્ઞતા અને આદરની ભાવના વધારે છે અને તે દેશમાં ગૌરવ અને દેશની સેવા માટે નવી ઉર્જાનો સંચાર કરે છે.
ADVERTISEMENT
The Beating the Retreat ceremonies at Attari-Wagah in Amritsar, Hussainiwala in Ferozepur and Sadqi in Fazilka will resume tomorrow in a scaled-down version, open to the public.#attariwagahborder #BeatingRetreat pic.twitter.com/jlSzVonfxn
— All India Radio News (@airnewsalerts) May 20, 2025
રિટ્રીટ સેરેમનીમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે
ADVERTISEMENT
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જરૂરી સુરક્ષા પગલાં મુજબ આ કવાયતમાં ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ, સરહદી દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પરેડ સંયુક્ત કવાયતનું સ્વરૂપ ધારણ કરી હતી. હવે, પરેડ દરમિયાન દરવાજા બંધ રહેશે અને કવાયત પ્રક્રિયા દરમિયાન કોઈ હાથ મિલાવશે નહીં. ઉપરાંત કોઈપણ પ્રસંગે મીઠાઈ કે ભેટની આપ-લે થશે નહીં.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર, 8માં પગાર પંચના અમલ પછી આટલા રૂપિયા વધશે પગાર
ADVERTISEMENT

ઓપરેશન સિંદૂર પછી આ પ્રદર્શન પ્રેક્ષકો માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. હાલના સંજોગોમાં, સરહદ સુરક્ષા દળનો આ કાર્યક્રમ ફરીથી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેથી દેશભક્તિના આ અનોખા પ્રદર્શન દ્વારા સુરક્ષા દળો અને જનતા વચ્ચેનું બંધન મજબૂત બનાવી શકાય અને સરહદ સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.