બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / એન્જિન ફેલ, બર્ડ હિટિંગ કે બીજું કંઈ... દુર્ઘટના પહેલા પાઇલટે કહી હતી Thrust ન મળવાની વાત
Last Updated: 08:25 AM, 13 June 2025
Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 એક ભયંકર દુર્ઘટનાનો ભોગ બની ગઈ. ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ વિમાનનું સંતુલન અચાનક ખોરવાઈ ગયું અને મેઘાણીનગર વિસ્તારમાં આવેલી એક મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ક્રૂ સહિત કુલ 242 લોકો સવાર હતા.
ADVERTISEMENT
અમદાવાદ પ્લેન ક્રેશમાં 200થી વધુ લોકોનો મોત#ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/W32UmQ2mMJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર લોકોના તો જીવ ગયા, સાથે જ અમદાવાદની બીજે મેડિકલ કોલેજના એમબીબીએસ વિદ્યાર્થીઓ અને ડોક્ટરોના જીવ પણ ગયા. વિમાન પહેલા બીજે મેડિકલ કોલેજના મેસની બિલ્ડિંગ સાથે અથડાયું, પછી તે અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું. આ હોસ્ટેલમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા.
ADVERTISEMENT
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તે જગ્યા પર જોવા મળ્યા ભયાનક દ્રશ્યો#ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/8UoqBRaddZ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
હવે સવાલ એ છે કે આ અકસ્માતનું કારણ શું હોઈ શકે? બધી જ ચર્ચાઓ આ સવાલ પર આવીને અટકી ગઈ છે કે એવું શું થયું કે આ વિમાન થોડી જ સેકન્ડમાં ક્રેશ થઈ ગયું. ખરેખર, વિમાન દુર્ઘટનાનું સૌથી મોટું કારણ હોય છે એન્જિન ફેલ્યર. આવા પેસેન્જર વિમાનોમાં બે એન્જિન હોય છે અને જો એક એન્જિન ફેલ થઈ જાય તો પણ બીજું એન્જિન કામ કરે છે અને વિમાન સુરક્ષિત રહે છે. એટલા માટે આ કિસ્સામાં એ અશક્ય માનવામાં આવે છે કે આ અકસ્માત વિમાનના એન્જિન ફેલ્યરને કારણે થયો હોય.
ADVERTISEMENT
પ્લેન ક્રેશ પહેલા યાત્રીએ ફ્લાઈટની અંદરનો વીડિયો શેર કર્યો#ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/TsCNufAgU9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
વિમાન દુર્ઘટના પાછળ હોય છે આ કારણો
ADVERTISEMENT
વિમાન દુર્ઘટનાનું બીજું મોટું કારણ હોય છે બર્ડ હિટિંગ. એટલે કે જો કોઈ પક્ષી કે કોઈ વસ્તુ વિમાન સાથે અથડાય છે, તો વિમાનમાં આગ લાગી જાય છે અને તે ક્રેશ થાય છે. પરંતુ જ્યારે આ વિમાન નીચે પડી રહ્યું છે, ત્યારે એવું નથી લાગતું કે તેમાં આગ લાગી છે. નીચે પડ્યા પછી વિમાનમાં બ્લાસ્ટ થાય છે.
પ્લેન ક્રેશ પહેલા યાત્રીએ દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટનો વીડિયો શેર કર્યો#ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/Q1FM7QY4jp
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
ADVERTISEMENT
અકસ્માતનું ત્રીજું કારણ ટેકનિકલ ખામી છે. હવે આ ટેકનિકલ ખામી કંઈ પણ હોઈ શકે છે. જોકે, ઉડાન ભરતા પહેલા ફ્લાઇટનું સંપૂર્ણ ચેકિંગ કરવામાં આવે છે. અને તે પછી જ વિમાન ઉડાન ભરે છે. આ કિસ્સામાં, ટેકનિકલ ખામીને અકસ્માતનું કારણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લી ક્ષણે પાઇલટે કહ્યું હતું કે તેને થ્રસ્ટ નથી મળી રહ્યો.
અમદાવાદ એરપોર્ટ પરથી પ્લેન ટેક ઓફ થયાના થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું#ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/O9E0uCehhc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
ADVERTISEMENT
વિમાન અકસ્માતોનું બીજું કારણ હોય છે, જેને અંગ્રેજીમાં STALL કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જ્યારે વિમાન અચાનક હવામાંથી જમીન તરફ આવવાનું શરૂ કરે છે કારણ કે તેની પાંખોને ઉપર ઉડવા માટે પૂરતી હવા મળતી નથી. વિમાનને ટેકઓફ કરવા માટે મેક્સિમમ સ્પીડ એચિવ કરવાની હોય છે અને આ સ્પીડ 300 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. એકવાર વિમાન આ સ્પીડ પર પહોંચી જાય, પછી પાઇલટ પાસે ફરીથી રોકાવાનો સમય નથી હોતો.
અમદાવાદ વિમાન દુર્ઘટના પર અમિત શાહનું નિવેદન#amitshah #ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/eKcgatpe9V
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
પાઇલટની ભૂલને કારણે પણ થઈ શકે છે વિમાન દુર્ઘટના
અકસ્માતનું અન્ય કારણ હોય છે પાઇલટની ભૂલ. ટેકઓફ અને લેન્ડિંગમાં પાઇલટ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એકવાર વિમાન ટેકઓફ કરી લે છે,પછી પાઇલટ તેને હવામાં ઓટો પાઇલટ મોડમાં ચલાવે છે, પાઇલટની કુશળતા ફક્ત ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન જ જરૂરી હોય છે અને મોટાભાગના અકસ્માતો પણ આ સમય દરમિયાન જ થાય છે. આ કિસ્સામાં પણ એવું લાગે છે કે પાઇલટ વિમાનને કંટ્રોલ ન કરી શક્યો હોય. વિમાન હવામાં ઉડે છે અને પછી અચાનક નીચે તરફ આવવા લાગે છે અને નીચે પડીને આગના ગોળામાં ફેરવાઈ જાય છે. હવે તપાસ પછી જ ખબર પડશે કે આ અકસ્માતનું કારણ શું હતું.

વિમાનમાં ભરેલું હતું એક લાખ લિટર ફ્યુલ
હવે ઘણા લોકો એવું વિચારતા હશે કે આ વિમાન ફક્ત 425 ફૂટ ઉડ્યું અને ક્રેશ થઈ ગયું. પરંતુ છતાં પણ આટલા બધા લોકોએ કેમ જીવ ગુમાવ્યા? તેનું કારણ છે આ વિમાનનું ફ્યુલ. આ વિમાનમાં એટલું બધું ફ્યુલ હતું કે તે આગનો ગોળો બની ગયું. આ બોઇંગનું 787-8 ડ્રીમલાઇનર વિમાન હતું, જેને અમદાવાદથી સીધું લંડનના ગેટવિક એરપોર્ટ જવાનું હતું. આ ઉડાન 9 કલાક 45 મિનિટની હતી, અને આ દરમિયાન આ વિમાને 6800 કિલોમીટરનું અંતર કાપવાનું હતું. એટલા માટે આ વિમાનમાં સંપૂર્ણ ફ્યુલ હતું.
આ પણ વાંચો: પ્લેન ક્રેશ થવાનું અમેરિકાએ આપ્યું ચોક્કસ કારણ, બોઇંગના નિષ્ણાંતે કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
માહિતી અનુસાર, આ વિમાનની ટોટલ ફ્યુલ કેપેસિટી 1 લાખ 26 હજાર લિટર છે. અને લંડન જવા માટે તેને લગભગ 55 હજાર લિટર ઇંધણની જરૂર હતી. કોઈપણ વિમાન જરૂરિયાત કરતાં વધુ ઇંધણ સાથે ઉડે છે, કારણ કે ઇમરજન્સી ગમે ત્યાં આવી શકે છે. ઘણી વખત એવું બને છે કે કોઈપણ કારણોસર, વિમાનને લેન્ડિંગ કરવાની પરવાનગી મળતી નથી, તેથી વિમાનને હવામાં જ સમય પસાર કરવો પડે છે. આ જ કારણ છે કે વિમાન તેની જરૂરિયાત કરતાં વધુ ફ્યુલ લઈને ઉડે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમાં 1 લાખ લિટર ફ્યુલ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.