બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મશીનગન અને બુલેટપ્રૂફ જેકેટ સાથે કમાન્ડો... ચેનાબ પુલ થઈને કાશ્મીર જતા વંદે ભારતને મળશે આટલી સુરક્ષા
Last Updated: 04:44 PM, 6 June 2025
Katra-Srinagar Vande Bharat Train : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા કટરાથી શ્રીનગરનું અંતર હવે ઘટીને ફક્ત 3 કલાક થઈ ગયું છે જે પહેલા રોડ માર્ગે કાપવામાં 6-7 કલાક લાગતું હતું. PM મોદીએ આજે (શુક્રવારે) ચેનાબ બ્રિજ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાંત તેમણે કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. જમ્મુ અને કાશ્મીર વચ્ચે ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ તાલીમ પામેલા કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ નિર્ણય તાજેતરના આતંકવાદી હુમલાઓ અને પ્રદેશમાં સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ રેલ સેવા 6 જૂન 2025 ના રોજ કટરાથી શ્રીનગર સુધીની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા પછી શરૂ થઈ હતી, જે 272 કિમી લાંબી ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) નો ભાગ છે. વંદે ભારત ટ્રેન શરૂ થવા સાથે જમ્મુ અને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જોકે પ્રદેશની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલગામ હુમલા પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો જેનાથી પ્રદેશમાં તણાવ વધુ વધ્યો.

ADVERTISEMENT
સુરક્ષા માટે ટ્રેનમાં ખાસ કમાન્ડો તૈનાત
આ સંજોગોને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ખાસ તાલીમ પામેલા કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. દરેક કોચમાં બે કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે જેઓ અત્યાધુનિક શસ્ત્રો, બુલેટપ્રૂફ જેકેટ, હેલ્મેટ અને અન્ય હાઇટેક ગેજેટ્સથી સજ્જ છે. જેથી મુસાફરોનો સુરક્ષામાં વિશ્વાસ વધે અને તેમને કાશ્મીર ખીણની મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારનો ડર ન રહે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ ચિનાબ નદી પર બરનેલા ચિનાબ આર્ચ બ્રિજ પર લહેરાવ્યો તિરંગો#pmmodi #modi #NarendraModi #worldhighestRailwayBridge #WorldsTallestRailwayBridge #ChenabBridge #railwaybridge #indianrailway #jammukashmir #ChenabRiver #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2025
Video Source - ANI pic.twitter.com/COkI3NB8AU
સુરક્ષા દળોનો સંયુક્ત અભ્યાસ
ADVERTISEMENT
તાજેતરમાં 16 એપ્રિલ, 2025ના રોજ NSG એ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) સાથે મળીને કટરા રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઇન્ટરવેન્શન કવાયત હાથ ધરી હતી. આ કવાયતનો ઉદ્દેશ્ય આતંકવાદી ખતરાઓનો સામનો કરવા માટે સુરક્ષા દળોમાં સંકલન અને તૈયારી વધારવાનો હતો. NSGની આ પહેલથી રેલ્વે અને સ્થાનિક પોલીસ સાથે મળીને સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટેની વ્યૂહરચના મજબૂત બની છે.
વડાપ્રધાન મોદીએ કટરા-શ્રીનગર વંદે ભારતને લીલી ઝંડી બતાવી, કાશ્મીર સુધી દોડનારી પ્રથમ ટ્રેન#Katra #jammukashmir #Srinagar #NarendraModi #Modi #PMModi #flagsoff #VandeBharatExpress #KatraSrinagar #KatraRailwayStation #KashmirOnTrack #VTVDigital pic.twitter.com/8tLuSxkgdr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2025
ADVERTISEMENT
ટ્રેનની હાઇ-ટેક સુવિધાઓ
રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ટ્રેન હિમાલયની કઠોર પરિસ્થિતિઓમાં પણ સરળતાથી દોડવા માટે બનાવવામાં આવી છે જેમ કે -20 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું તાપમાન. તેમાં ઓટોમેટિક દરવાજા, હીટિંગ સિસ્ટમ અને એન્ટી-સ્પોલ લેયર જેવી હાઇ-ટેક સુવિધાઓ છે. સલામતી માટે ટ્રેનમાં મુસાફરોની તપાસ અને અન્ય સલામતી પ્રોટોકોલ પણ લાગુ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : 'પાકિસ્તાન જ્યારે-જ્યારે ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની તાકાત યાદ આવશે'
મુખ્ય સ્ટેશનો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા
રેલવે બોર્ડે કટરા, રિયાસી, સાંગલદાન, બનિહાલ, કાઝીગુંડ, અનંતનાગ અને શ્રીનગર જેવા મુખ્ય સ્ટેશનો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ ટ્રેન ફક્ત કનેક્ટિવિટીને જ નહીં પરંતુ પર્યટન અને વ્યવસાયને પણ પ્રોત્સાહન આપશે. જોકે સુરક્ષાને પ્રાથમિકતા આપતા રેલવે અને સુરક્ષા એજન્સીઓ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.