બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઈરાન યુદ્ધ પૂરું થતાં જ ભારત એક્શનમાં, મોદીના ત્રણ 'ધુરંધર' લાગ્યા કામે, જયશંકર બનશે ગેમ ચેન્જર!

કવાયત / ઈરાન યુદ્ધ પૂરું થતાં જ ભારત એક્શનમાં, મોદીના ત્રણ 'ધુરંધર' લાગ્યા કામે, જયશંકર બનશે ગેમ ચેન્જર!

Priykant Shrimali

Last Updated: 10:52 AM, 10 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran-US ceasefire : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે તેના ત્રણ મુખ્ય કૂટનીતિક ચહેરાઓને વૈશ્વિક સ્તરે સક્રિય કર્યા, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Iran-US ceasefire : પશ્ચિમ એશિયામાં તણાવ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા સમયબદ્ધ યુદ્ધવિરામે વૈશ્વિક રાજકારણમાં નવી સ્થિતિ ઊભી કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે ઝડપથી પોતાના રાજદ્વારી પ્રયાસોને ગતિ આપી છે. ખાસ કરીને ઉર્જા સુરક્ષા અને પુરવઠાની સતતતા જાળવવા માટે કેન્દ્ર સરકારે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પગલાં લીધા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે તેના ત્રણ મુખ્ય કૂટનીતિક ચહેરાઓને વૈશ્વિક સ્તરે સક્રિય કર્યા છે. તેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરી અને વિદેશ સચિવ વિક્રમ મિસરીનો સમાવેશ થાય છે. ત્રણેય નેતાઓ અલગ અલગ દેશોમાં જઈ ભારતના હિતોને મજબૂત કરવા પ્રયત્નશીલ છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર સંયુક્ત આરબ અમીરાત ની મુલાકાતે છે, જ્યાં તેઓ ઉર્જા સહયોગ, વેપાર અને પ્રાદેશિક સ્થિરતા અંગે ચર્ચા કરશે. યુએઈ ભારત માટે મહત્વપૂર્ણ તેલ સપ્લાયર છે, તેથી આ મુલાકાત ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. જયશંકરની કૂટનીતિને “ગેમ ચેન્જર” તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તે ગલ્ફ ક્ષેત્રમાં ભારતની પોઝિશન વધુ મજબૂત બનાવી શકે છે.

બીજી તરફ, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી કતારની મુલાકાતે છે. કતાર ભારત માટે LPG અને LNGનો મુખ્ય સપ્લાયર છે. હાલની પરિસ્થિતિમાં સ્થિર પુરવઠો જાળવવો ભારત માટે જરૂરી છે, અને પુરીની મુલાકાત આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ભાવવધારો અને પુરવઠાની અછત ટાળવા માટે આ ચર્ચાઓ અગત્યની છે.

આ પણ વાંચો : ભારતના ચૂંટણી ઇતિહાસમાં પહેલી વાર EVM નું ઓડિટ થશે, હાઇકોર્ટે આપી મંજૂરી

આ સાથે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અમેરિકામાં છે, જ્યાં તેઓ વૈશ્વિક ઉર્જા બજાર અને વ્યૂહાત્મક સહકાર અંગે ચર્ચા કરી રહ્યા છે. અમેરિકા સાથેનો સહકાર ભારતને ઉર્જા વૈવિધ્યકરણ અને ભૂ-રાજકીય સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. આ તમામ પ્રયાસો દર્શાવે છે કે ભારત માત્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું નથી, પરંતુ સક્રિય રીતે પોતાની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે પગલાં લઈ રહ્યું છે. LPG અને તેલ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સમયસર રાજદ્વારી દાવપેચ ભારતને વૈશ્વિક આંચકાઓથી બચાવવામાં મદદરૂપ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaishankar UAE visit Iran ceasefire impact, India energy security
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ