બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:44 AM, 15 August 2025
Independence Day 2025 : આજે 79માં સ્વતંત્રતા દિવસને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહના માહોલ વચ્ચે આજે સવારે PM મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 12મા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ દરમ્યાન PM મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે કે, હું દિવાળી પર દેશવાસીઓને મોટી ભેટ આપીશ. તેમણે કહ્યું કે, GST દરોમાં નોંધપાત્ર ઘટાડો થશે.
ADVERTISEMENT
'દિવાળીથી GSTમાં મોટો ઘટાડો કરશે સરકાર..', લાલ કિલ્લા પરથી PM મોદીનું સૌથી મોટું એલાન#IndiaAt79 #15thAugust #15thaugust2025 #IndependenceDay #PmnarendraModi #vtvdigital pic.twitter.com/t5YjNxL5bu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2025
દિવાળી પર હું તમને ડબલ ભેટ આપીશ: PM મોદી
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું કે, અમે આગામી પેઢીના સુધારા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનું નક્કી કર્યું છે. હવે અમારો ઉદ્દેશ્ય તમામ પ્રકારના સુધારા લાવવાનો છે. હું આ દિવાળી પર તમારા માટે બેવડી દિવાળી ઉજવવા જઈ રહ્યો છું. દેશવાસીઓને એક મોટી ભેટ મળવા જઈ રહી છે. સમયની માંગ છે કે,GST દરોની સમીક્ષા કરવામાં આવે. અમે નવી પેઢીના GST સુધારા લાવી રહ્યા છીએ. સામાન્ય લોકો માટે કર ઘટાડવામાં આવશે. GST દરોમાં ભારે ઘટાડો કરવામાં આવશે.

ADVERTISEMENT
આ મહાન પર્વ 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે 140 કરોડ દેશવાસીઓ ત્રિરંગાના રંગોમાં રંગાયેલા છે. ભારતના દરેક ખૂણામાંથી, પછી તે રણ હોય કે હિમાલયના શિખરો, દરિયા કિનારા હોય કે ગીચ વસ્તીવાળા વિસ્તારો બધે જ ફક્ત એક જ ગુંજ છે, એક જ જ્ય્કારો છે - આપણી પ્રાણથી પણ પ્રિય માતૃભૂમિનું જયગાન છે.
ADVERTISEMENT
આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી: પીએમ મોદી
ADVERTISEMENT
દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતાનો તહેવાર સંકલ્પોનો તહેવાર છે. દેશ એકતાની ભાવનાને મજબૂત બનાવી રહ્યો છે. બંધારણ દીવાદાંડી બનીને દેશને પ્રકાશ આપી રહ્યું છે. આ સામૂહિક સિદ્ધિઓનો તહેવાર છે. આજે લાલ કિલ્લા પર ઘણા ખાસ મહાનુભાવો હાજર છે. આપણે કલમ 370 ની દિવાલ તોડીને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.