બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:08 AM, 10 July 2025
જગ્યા ગાડીમાં ઓછી હતી કે દિલમાં, એ તો રાહુલ ગાંધી જ જાણે, પરંતુ પટનામાં જે થયું, તેણે સ્પષ્ટ કરી દીધું કે કનૈયા કુમાર હજુ એટલા મોટા નથી થયા કે પોતાના સૌથી મોટા નેતાની સાથે ઊભા રહી શકે અને પપ્પુ યાદવ હજુ એટલા કોંગ્રેસી નથી થયા કે કોંગ્રેસના રથ પર સવાર થઈ શકે,કારણ કે બિહારમાં તો ન તો કનૈયા કુમાર કોઇ ઓળખાણના મોહતાજ છે અને ન પપ્પુ યાદવ.
ADVERTISEMENT
કનૈયા સત્તાવાર રીતે કોંગ્રેસી છે અને પપ્પુ યાદવે પોતે પોતાને કોંગ્રેસી જાહેર કરી દીધા છે. આ છતાં જયારે બિહારની રાજધાની પટનામાં પ્રદર્શન કરવા માટે રાહુલ ગાંધી પહોંચ્યા ત્યારે તેમના સુરક્ષાકર્મીઓએ બંનેને જ ધક્કો મારીને તે ગાડીમાંથી ઉતારી દીધા જેમાં રાહુલ સવાર હતા.
શું હતી ઘટના?
ADVERTISEMENT
પ્રશ્ન એ છે કે કેમ? શું કારણ માત્ર એ હતું કે જે ગાડી પર રાહુલ ગાંધી સવાર હતા, તેમાં પોતે તેજસ્વી યાદવ પણ હાજર હતા. હવે રાહુલ ગાંધી પોતાની પાર્ટીના સૌથી મોટા નેતા છે. રાજકીય ભાષામાં કહીએ તો કોંગ્રેસના આલા કમાન છે. અને એ જ હાલ તેજસ્વી યાદવનો છે. રાષ્ટ્રીય જનતા દળના આલા કમાન તો એ જ છે. અને તેજસ્વી સાથે કનૈયા કુમાર અને પપ્પુ યાદવ, બંનેની અનબન કોઇથી છૂપી નથી.
યાદ કરો 2019ની લોકસભા ચુંટણી. ત્યારે કનૈયા સીપીઆઇમાં હતા. બેગુસરાયથી ઉમેદવાર પણ હતા. અને સીપીઆઈનો આરજેડી સાથે ગઠબંધન પણ હતો. આ છતાં તેજસ્વી યાદવે કનૈયા કુમારના સામે ઉમેદવાર ઊભો કર્યો અને પરિણામ એવું આવ્યું કે ન તો કનૈયા જીત્યા અને ન તેજસ્વીના તનવીર હસન, અને બાજી જીતી લીધી ગિરિરાજ સિંહે.
ADVERTISEMENT
કનૈયા સાથે સીધા દેખાયા નથી તેજસ્વી
આ તેજસ્વી અને કનૈયા વચ્ચેના દ્વંદ્વનું શિખર હતું, જેમાં કનૈયા કોંગ્રેસી બન્યા પછી પણ કોઇ કમી આવી નહીં. ન તેજસ્વી કદી સીધા કનૈયા સાથે દેખાયા અને ન જ કનૈયા કદી તેજસ્વીની પ્રશંસા કરતા નજરે પડ્યા. પરંતુ 2025ની ચૂંટણી માટે જે ગઠબંધન બન્યું છે, તેમાં કનૈયા તેજસ્વી પર નરમ દેખાયા અને જયારે મુખ્યમંત્રીના ચહેરા પર પ્રશ્ન થયો તો કનૈયાએ થોડા દિવસો પહેલા જ સ્પષ્ટ કરી દીધું કે તેજસ્વી યાદવના ચહેરા પર કોઇ ભ્રમ નથી.
ADVERTISEMENT
આ છતા પણ જયારે 9 જુલાઇના રોજ કનૈયા કુમારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ માટે તૈયાર કરાયેલા સંયુક્ત રથ પર ચઢવાનો પ્રયાસ કર્યો તો તેમને નિરાશા જ હાથ લાગી કારણ કે સુરક્ષાકર્મીઓએ તેમને નજીક પણ જવા દીધા નહીં.
પપ્પુ યાદવ અને લાલુ યાદવની દોસ્તી-દુશ્મનીની કહાની જગજાહેર
ADVERTISEMENT
પપ્પુ યાદવ સાથે પણ એ જ થયું. પપ્પુ યાદવ અને લાલુ યાદવની દોસ્તી અને દુશ્મનીની કહાની તો જગજાહેર છે. જયારે બંનેમાં દોસ્તી હતી ત્યારે પપ્પુએ એવી દોસ્તી નિભાવી કે જેના ઉદાહરણ આપવામાં આવે છે. અને હવે જયારે દુશ્મન છે ત્યારે કડવાશ દેખાય છે, જેમાં દોસ્તીની શક્યતા પણ બાકી રહે.
આ જ શક્યતા માટે પપ્પુ યાદવ કોંગ્રેસમાં પણ જોડાયા, ટિકિટની કોશિશ પણ કરી. અને જયારે ટિકિટ ન મળી તો નિર્દલ તરીકે ચૂંટણી જીતીને તેજસ્વીની ઉમેદવાર બીમા ભારતીને હરાવીને સાંસદ બની ગયા અને ફરી કોંગ્રેસના સૂરમાં સૂર મિલાવા લાગ્યા. પરંતુ કદાચ તેજસ્વી સાથે તેમના સૂર તો હજુ મળ્યા જ નથી, એ સમયે જયારે રાહુલ ગાંધી પટના આવ્યા ત્યારે તેમની ગાડી પરથી પપ્પુ યાદવને પણ ઉતારી મૂકવામાં આવ્યા.
ADVERTISEMENT
હવે કહેવા માટે કોઈ કહી શકે કે જગ્યા ઓછી હશે, તેથી મોટા નેતાઓ જ હાજર હતા અથવા થોડા પસંદગીના લોકોની જ વ્યવસ્થા થઈ શકી હતી. પરંતુ વીડિયોઝ છે સાક્ષી તરીકે હાજર, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તે ગાડી પર એવા લોકો પણ હાજર છે, જેમને સામાન્ય રીતે કોઇ ઓળખતું પણ નથી અને તે સુરક્ષાકર્મીઓ પણ નથી.
#WATCH | Patna: Independent MP from Purnea, Pappu Yadav, was not allowed to board the truck by security personnel during the Mahagathbandhan protest against electoral rolls revision in poll-bound Bihar earlier today
— ANI (@ANI) July 9, 2025
RJD leader Tejashwi Yadav and Congress MP and LoP Lok Sabha… pic.twitter.com/k3Gkau1xrD
તેજસ્વી સાથેના સંબંધોને લઇને જોખમ નહીં લઇ શકે રાહુલ ગાંધી
એવામાં ફરીથી પ્રશ્ન પાછો રાહુલ ગાંધી પર આવે છે કે તેમની હાજરીમાં તેમના જ બે મોટા નેતાઓ સાથે આવું વર્તન કેમ થયું... શું તેનું માત્ર એક જ કારણ છે કે તેજસ્વી યાદવ આ બંનેને વ્યક્તિગત રીતે પસંદ નથી કરતા અને રાહુલ ગાંધી બિહારમાં તેજસ્વી સાથે પોતાના સંબંધોને લઇને કોઇ જોખમ નહીં લઇ શકે. શું પહેલા કનૈયા અને પછી પપ્પુ યાદવને રાહુલ ગાંધીની ગાડીથી રાહુલ ગાંધીની મંજૂરીથી જ દૂર રાખવામાં આવ્યા જેથી તેજસ્વી નારાજ ન થાય અને ગઠબંધન પર કોઇ પ્રતિકૂળ અસર ન પડે.
આ ઘણી હદ સુધી સંભવ છે કે એક મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નાની-નાની કુરબાનીઓ આપવી પડે. અને કનૈયા-પપ્પુને ગાડીથી દૂર રાખવું કોઇ એટલી મોટી વાત નથી, પરંતુ જો આવું કરવાનું જ હતું, જો એ જ થવાનું હતું તો કનૈયા અને પપ્પુ યાદવને એકાંતમાં સમજાવી શકાય, કહી શકાય, મોટી લડાઇ માટે સમજૂતી કરવા તૈયાર કરી શકાય. તેઓ માની પણ જાત, તે ગાડીની નજીક પણ ગયા નહીં...ભીડનું બહાનું પણ બની જાત... અને તેમની જાહેર છબીને કોઇ નુકસાન પણ ન પહોંચતું.
વધુ વાંચો: મરાઠી ભાષા વિવાદ વચ્ચે નિશિકાંત દુબેએ રાજ ઠાકરેને પડકાર ફેંક્યો, મુંબઇ બહાર કોઇ ઓળખતું નથી...
પરંતુ ગાડી સુધી પહોંચીને પણ ત્યાં ન પહોંચી શકવું અને સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ જવું, એ કનૈયા કુમાર અને પપ્પુ યાદવના રાજકારણને ઘણી હદ સુધી કમજોર કરશે. બંને નેતા ભલે જે તર્ક આપે, પોતાના નેતાના બચાવમાં ભલે જે સ્પષ્ટતા આપે... પરંતુ એ વીડિયોઝ તો સાક્ષી છે જ અને હંમેશા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.