બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Manisha Jogi
Last Updated: 02:03 PM, 12 June 2023
હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય કરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા કળશ પર નારિયેળ રાખવામાં આવે છે. નારિયેળ માઁ લક્ષ્મીનું પ્રતિક હોવાનું માનવામાં આવે છે. પૂજામાં એકાક્ષી નારિયેળના ઉપયોગને વધુ ફળદાયી માનવામાં આવે છે. અનેક નારિયેળમાં બે આંખ હોય છે, પરંતુ એકાક્ષી નારિયેળમાં માત્ર એક આંખ હોય છે અને નાનું હોય છે. એકાક્ષી નારિયેળ સંબંધિત કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ, જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
નાણાંકીય વૃદ્ધિ માટે ઉપાય
રવિ પુષ્ય નક્ષત્ર દરમિયાન વિધિ વિધાન સાથે એકાક્ષી નારિયેળ સ્થાપિત કરો. જેથી નાણાંકીય વૃદ્ધિ થશે, માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તથા આર્થિક સમસ્યાથી રાહત મળશે.
માં દુર્ગાને નારિયેળ ચઢાવો
સોમવારના દિવસે દુર્ગા મંદિરમાં એકાક્ષી નારિયેળ ચઢાવો. નારિયેળ પર લાલ ચુંદડી બાંધો, જેથી ઘરમાં સુખ અને શાંતિ રહેશે. આ પ્રકારે કરવા નાણાંકીય પરેશાની દૂર થાય છે અને અટકેલા કામ થવા લાગે છે.
બજરંગબલી એકાક્ષી નારિયેળ ચઢાવો
શત્રુઓ અને નાણાંકીય સમસ્યાથી પરેશાની હોય તો મંગળવારે સાંજે બજરંગબલીને એકાક્ષી નારિયેળ અર્પણ કરો. નારિયેળ અર્પણ કરતા પહેલા સિંદૂરથી સાથિયો દોરો. આ પ્રકારે કરવાથી ગુપ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
શનિદોષથી મુક્તિ
શનિ સાડેસાતી, શનિઢૈય્યા અથવા શનિદશા અથવા શનિની ખરાબ અસરથી બચવા માટે નદીમાં એકાક્ષી નારિયેળ પધરાવી દો. આ પ્રકારે કરવાથી શનિદોષ સમાપ્ત થાય છે. અટકેલા કામ પૂર્ણ થાય છે તથા ગરીબીથી છુટકારો મળે છે. બાળકોનું ભણવામાં મન ના લાગે તો સ્ટડી રૂમમાં એકાક્ષી નારિયેળ મુકો, જેથી બાળકોનું ભણવામાં મન પરોવાશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા