બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:52 PM, 22 August 2025
Mumbai News: મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં રહેતા લોકોને રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મોટી ખુશખબર આપી છે. હવે અટલ સેતુ થઈને મુંબઈ આવતા અને જતા ઇલેક્ટ્રિક વાહનોને આ પુલ પર ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં. રાજ્ય સરકારનો આ નિયમ આજે શુક્રવાર 22 ઓગસ્ટ, 2025થી લાગુ થઈ ગયો છે. આને મહારાષ્ટ્રના સતત પરિવહન અભિયનમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આના અંતર્ગત ખાનગી અને સરકારી તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો (EV) આવી જશે.
ADVERTISEMENT

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહન (EV) નીતિ હેઠળ એપ્રિલમાં જાહેર કરાયેલી આ નીતિ હવે રાજ્યના સૌથી વ્યસ્ત રૂટમાંથી એક પર લાગુ કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, EV ટોલ મુક્તિ ટૂંક સમયમાં લગભગ આગામી બે દિવસમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પર પણ લાગુ કરી દેવામાં આવશે. આ નિર્ણયનો ફાયદો ફોર-વ્હીલર ઉપરાંત, ઇલેક્ટ્રિક બસોને પણ થશે.
ADVERTISEMENT
નવી EV ટોલ નીતિથી થશે ફાયદો
મહારાષ્ટ્ર સરકારની આ EV ટોલ મુક્તિ નીતિ કાર્બન ઉત્સર્જન ઘટાડવા, હાનિકારક પ્રદૂષકોને કંટ્રોલ કરવા માટે અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાના રાજ્યના વ્યાપક મિશનનો એક ભાગ છે. એપ્રિલમાં જાહેર કરવામાં આવેલી મહારાષ્ટ્ર EV નીતિમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના અનેક ફાયદાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય હાઇવે પર ટોલ મુક્તિ પણ સામેલ છે. યોજના મુજબ, અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પરથી પસાર થતા ફોર-વ્હીલર EV અને બસોને ટોલ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે.
ADVERTISEMENT

250 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો
ADVERTISEMENT
જાહેર બાંધકામ વિભાગ હેઠળ આવતા રાજ્ય અને રાષ્ટ્રીય હાઇવે પર પણ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર્સને 50% ડિસ્કાઉન્ટ મળશે. એક અંદાજ મુજબ, અટલ સેતુ પરથી દરરોજ 60,000 વાહનો પસાર થાય છે. આમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો પણ સામેલ છે. અટલ સેતુ પર એક કારે 250 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો.
આ પણ વાંચો: એવું શું થયું કે ઓચિંતા અંબાણી પરિવાર પહોંચ્યો HN રિલાયન્સ હોસ્પિટલ, તંત્રમાં દોડધામ
ADVERTISEMENT
અટલ સેતુની લંબાઈ 21.8 કિમી
નવી મુંબઈથી અને મુંબઈ વચ્ચે સમુદ્ર પર બનેલો અટલ સેતુ દરિયા પર બનેલો દેશનો સૌથી લાંબો પુલ છે. આ પુલની મદદથી, નવી મુંબઈ અને મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટનું થઈ ગયું છે. આ પુલની લંબાઈ 21.8 કિમી છે અને તે 6 લેનનો પુલ છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.