બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Moths came out of Maninagar Das Khaman chutney

અમદાવાદ / મણિનગર દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચડશે, AMC કંટ્રોલમાં ફરિયાદ

Vishal Khamar

Last Updated: 02:45 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં અમરાઈવાડીમાં નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે ચટણી લાવેલ શખ્શે એએમસી કંટ્રોલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.

  • અમદાવાદના અમરાઈવાડીમાં નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી
  • અલ્કેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી
  • અલ્કેશ પરમારે AMC કંટ્રોલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી

 પીઝા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં અમરાઈવાડી ખાતે રહેતા અલ્કેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી હતી.  મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતા. જે બાબતે અલ્કેશ પરમાર ઘરે નાસ્તા માટે લાવેલ ખમણની ચટણીમાંથી જીવાત નીકળતા ફરિયાદ કરી છે.

વધુ વાંચોઃ મોરબીમાં પરંપરાગત રમતને ફરી બેઠી કરવાનો પ્રયાસ, કોથળા દોડ, ધમાલિયો ધોકો, લંગડી સહિતની રમતોની ધમાલ

મારા છોકરાને ઈલટીઓ થવાથી મેં ઓનલાઈન ફરિયાદ કરીઃ અલ્કેશ પરમાર
આ બાબતે અમરાઈવાડી પ્રિતમ પાર્ક સોસાયટીમાં રહેતા અલ્કેશ પરમારે જણાવ્યું કે,  આજે સવારે 10 વાગ્યાના સુમારે હું મણીનગર દાસ ખંમણમાં મારી પત્નિ તેમજ દીકરા માટે ખંમણ લેવા ગયો હતો. જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો. જે બાદ મેં ખમણ તેમજ ચટણી ખોલતા ચટણીમાંથી કહારા જેવું એક મોટું જીવડું હતુ. જે બાદ મેં તેમને ફોન કરતા તે લોકોએ કહ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ હશે. હું તમને ચટણી બદલી આપું છું.  પણ મારા છોકરાને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે. તેમજ હું અત્યારે તેઓની દુકાને જઈ રહ્યો છું.  તેમજ હું મણીનગર પોલીસ મથકમાં આની લેખિત અરજી આપવાનો છું.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ