બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 03:40 PM, 9 April 2023
સવાર તે એક એવો સમય છે જેમાં તમે તમારા શરીરને આખા દિવસ માટે રિચાર્જ થઇ શકો છો. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓની વાત કરીએ તો તેમના માટે સવારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સવારમાં આ વસ્તુઓનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી તેમનું પેટ ભરાઈ શકે, ધીમે ધીમે ગ્લુકોઝ છૂટી શકે, જે તેમને સુગર સ્પાઇક વગર પણ દિવસભર એનર્જી આપે છે. આવી સ્થિતિમાં, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ગુડ ફેટ, ફાઈબર, સ્ટાર્ચ વગરનો ખોરાક સવારે ઉઠીને સંતુલિત આહાર લેવો મહત્વપૂર્ણ છે જેથી તમે દિવસની સારી શરૂઆત કરી શકો.
ઘણા ડાયાબિટીસના દર્દીઓને સવારે બ્લડ શુગર લેવલમાં વધારો થાય છે, આવું એટલા માટે થાય છે કારણ કે આપણું લીવર દિવસભર એનર્જી માટે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. તેથી જો તમને ખૂબ તરસ લાગે છે, વારંવાર પેશાબ થાય છે અથવા સવારે થોડુ ઝાંખુ દેખાય છે, તો તે હાઈ બ્લડ સુગર લેવલ સૂચવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓએ સવારે કરવું જોઈએ. સવારે આ વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે.
1. ઘી અને હળદરનો પાઉડરઃ એક ચમચી ગાયના ઘી સાથે હળદર મિક્સ કરીને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે. આ કારણે બ્લડ શુગરનું સ્તર સામાન્ય રહે છે. તેથી ઘીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને દિવસભર શુગરની ક્રેવિંગ નથી લાગતી, તે સાથે જ હળદર ઇમ્ફેલ્મેશન ઘટાડે છે.
2. અલ્કેલાઇન પીણાંઃ 1 ચમચી સફરજન સીડર વિનેગર અને 30 મિલી આમળાનો રસ અથવા લીંબુનો રસ 100 મિલી પાણીમાં ભેળવીને પીવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભ થાય છે. આ શરીરને હીલ કરવામાં પણ મદદ કરે છે.
3. ઇન્ફ્યુઝ્ડ વોટરઃ તજ એક એવો મસાલો છે જે શરીરમાં બ્લડ શુગરના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. તેના માટે રાત્રે તજના ટુકડાને પીવાના પાણીમાં નાખો. જો તમે ઈચ્છો તો આ પાણી સાથે હર્બલ ટી પણ બનાવીને પી શકો છો. તજ આખા દિવસ દરમિયાન તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4. મેથીનું પાણીઃ ડાયાબિટીસના દર્દીઓએ સવારે મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. આ માટે રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. આ બીજને સવારે સારી રીતે ચાવી લો અને તેનું પાણી પીવો.
5. પ્રોટીન શેક- જો તમને સવારે ઉઠતાની સાથે જ લો શુગર લેવલની સમસ્યા છે, તો આવી સ્થિતિમાં તમે થોડી માત્રામાં પ્રોટીનનું સેવન કરી શકો છો જેમ કે પલાળેલી બદામ, અખરોટ, ફળો વગેરે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime