બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Malay
Last Updated: 10:44 AM, 20 April 2023
સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના પરિણામોને લઈને ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની B.comની ત્રીજા વર્ષની પરીક્ષાના પરિણામમાં મોટો છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટીના કુલ 7 હજાર 200 જેટલા વિદ્યાર્થીઓએ B.comની ત્રીજા વર્ષની પરીક્ષા આપી હતી. જેમાંથી 2 હજાર 880 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
T.Y.B.Comની પરીક્ષાના પરિણામમાં છબરડો
યુનિવર્સિટીના 100 કે 200 નહીં પરંતુ 2880 વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા છે. આ પરિણામ મામલે વાઈસ ચાન્સેલરે પરીક્ષા વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. આમાં સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તો ઝીરો માર્ક્સથી નાપાસ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીની T.Y.B.Comની પરીક્ષાના પરિણામે શહેરભરમાં ચર્ચા જગાવી છે.
S.Y.B.Comનું હજુ સુધી નથી જાહેર કરાયું પરિણામ
આ ઉપરાંત વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની B.comની બીજા વર્ષની પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પરીક્ષા પૂર્ણ થયાને 2 મહિના કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. S.Y.B.Comની સેમ-2ની પરીક્ષાને 62 દિવસ થયા છતાં પરિણામના ઠેકાણાં નથી.
5 દિવસ પહેલા પણ સર્જાયો હતો વિવાદ
આપને જણાવી દઈએ કે, વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં 5 દિવસ અગાઉ પણ વિવાદ સામે આવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્લેસમેન્ટમાં કોમર્સના 27 વિદ્યાર્થીઓને ખાનગી કંપનીએ કલેક્શન એક્ઝિટ્યુટિવના નામે રિકવરીની નોકરી આપતા વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીના 27 જેટલા વિદ્યાર્થીઓને ઉઘરાણીની નોકરી અપાઈ હતી. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો.
27 વિદ્યાર્થીઓને અપાઈ હતી ઉઘરાણીની નોકરી
કેમ્પસ પ્લેસમેન્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં ખાનગી કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયનાન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યું યોજવામાં આવ્યા હતા. આ પ્લેસમેન્ટમાં ખાનગી ફાઇનાન્સ કંપનીએ કોમર્સના 27 વિદ્યાર્થીને કલેક્શન એક્ઝિક્યુટિવના નામ હેઠળ રિકવરી(ઉઘરાણી)ની નોકરી આપી છે. એટલે કે 27 વિદ્યાર્થીઓની કલેક્શન એક્ઝિક્યુટિવની નોકરી માટે પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના કેમ્પસમાં કઈ કંપની પ્લેસમેન્ટ માટે આવી તેનું મોનિટરિંગ થયું ન હતું. યુનિવર્સિટીએ મોનિટરિંગ ન કરતા ફાયનાન્સ કંપનીએ નોકરી આપી દીધી. ખાનગી કંપનીએ કલેક્શન એક્ઝિક્યુટિવના નામે રિકવરીની નોકરી આપી હતી. જે બાદ યુનિવર્સિટીના વહીવટી તંત્રની ભારે ટીકા થઈ હતી. કારણ કે આવી નોકરી માટે કેમ્પસ બહાર કંપની દ્વારા પસંદગી કરાતી હોય છે, પણ ફાયનાન્સ કંપની દ્વારા ફેકલ્ટીમાં આવીને રિકવરીની નોકરી અપાઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime