બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સામૂહિક આપઘાત, પતિ-પત્ની અને પુત્રે ઝેરી દવા પીધી, ચાર દિવસ પહેલાં સાઉદી યાત્રા કરીને આવ્યા'તાં
Last Updated: 02:56 PM, 10 February 2026
સુરતના લાલગેટ વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્ની અને દીકરાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યુ હતું. લાલગેટ વિસ્તારની હરિપુરા સોય શેરીમાં ઘટના બનવા પામી હતી. પરિવારના સામૂહિક આપઘાતનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

ત્રણેયનાં મૃતદેહો અલગ અલગ રૂમોમાં મળી આવ્યા
ADVERTISEMENT
સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પતિ, પત્ની અને પુત્રએ સામૂહિક આપઘાત કરવાનું પગલું ભર્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેયનાં મૃતદેહો અલગ અલગ રૂમોમાં મળી આવ્યા છે. જો કે, આ આપઘાતની પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નવસારીમાં નવ નિયુક્ત 4 હોદ્દેદારોના ભાજપને રામ-રામ, સંગઠન જાહેર થતાં જ રાજીનામાવાળી!
DCP ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
ADVERTISEMENT
પિતા ફૈઝ અહેમદ (પિતા, 36 ઉ.વર્ષ.), મુબીના અહેમદ (માતા, 32 ઉ.વર્ષ. ) નોમાન અહેમદ ( પુત્ર, 13 ઉ.વર્ષ.)નાં મૃત્યું થયા છે. મૃતક પરિવાર ચાર દિવસ પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યા હતા. તેમજ તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. DCP રાઘવ જૈન પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.