શરદ પવાર પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ કરવા બદલ થાણે પોલીસે મરાઠી અભિનેત્રી કેતકી ચિટલેની અટકાયત કરી.
મરાઠી અભિનેત્રી કેતકી ચિટલેની વાંધાજનક પોસ્ટ
શરદ પવાર વિશે વિવાદિત ટિપ્પણી કરતા અટકાયત
થાણે પોલીસે અભિનેત્રીને કસ્ટડીમાં લઇ લીધી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ કરવા બદલ થાણે પોલીસે મરાઠી અભિનેત્રી કેતકી ચિટલેની અટકાયત કરી છે. થાણે પોલીસે મરાઠી ટીવી અને ફિલ્મોની અભિનેત્રી કેતકી ચિતલેની અટકાયત કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરી છે. તેણીએ ટ્વિટર પર શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરી હતી, જ્યાર બાદ થાણે પોલીસ એક્શનમાં આવી ગઇ અને તેને કસ્ટડીમાં લઇ લીધી. હવે પોલીસ કેતકી ચિલટે વિરુદ્ધ ગુનો નોંધી તેની પૂછપરછ કરશે.
સોશિયલ મીડિયા પર ઘણી વખત વિવાદાસ્પદ પોસ્ટ કરી ચુકી છે
થાણે પોલીસ મરાઠી અભિનેત્રીની પૂછપરછમાં, જાણવા ઇચ્છે છે કે તેણીએ કોના કહેવા પર સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરી. આ પોસ્ટમાં, મરાઠી અભિનેત્રીએ શરદ પવારના મૃત્યુ વિશે લખ્યું હતું કે તે કોના કહેવા પર આવું કરી રહી છે. જણાવી દઈએ કે, આવું પહેલી વાર નથી થયું કે જ્યારે મરાઠી અભિનેત્રી કેતકી ચિટલેએ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરી હોય. આ પહેલાં પણ તેણી સોશિયલ મીડિયા પર ઘણી વખત વિવાદાસ્પદ પોસ્ટ કરી ચુકી છે. રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન રૂપાલી પાટીલે પણ કેતકી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
#UPDATE | Marathi actress Ketaki Chitale has been taken into custody by Thane police.
નિખિલે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, 'બારામતીના ગાંધી માટે બારામતીના નાથુરામ ગોડસે બનાવવાનો સમય આવી ગયો છે. જો કે, તેઓએ ટ્વિટમાં કોઈ નેતા કે રાજકીય પક્ષના નામનો ઉલ્લેખ નથી કર્યો. રાજ્યના પુણે જિલ્લાનું એક શહેર બારામતી એ શરદ પવારનું ગૃહક્ષેત્ર છે. મહાત્મા ગાંધીનો હત્યારો ગોડસે પણ આ શહેરનો જ હતો. અધિકારીએ કહ્યું કે, 'ટ્વિટ તપાસ્યા બાદ મહારાષ્ટ્ર સાયબર સેલે આગળની કાર્યવાહી માટે નાસિક ગ્રામીણ પોલીસને જાણ કરી.'
કલમ 153 (A), 500 (બદનક્ષી), 504 અને 506 હેઠળ કેસ દાખલ
અધિકારીએ જણાવ્યું કે, ભામરે પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 153 (A) (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 500 (બદનક્ષી), 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના હેતુથી ઈરાદાપૂર્વક અપમાન), 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અગાઉ રાકાંપા નેતા આનંદ પરાંજપેએ ભામરે વિરુદ્ધ થાણે શહેરના નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાર બાદ તેઓની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મંત્રી અને રાંકાપા નેતા જિતેન્દ્ર આવ્હાડે પણ મુંબઈ અને થાણેના પોલીસ કમિશનરો અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને ભામરે વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ટ્વિટ કર્યું હતું.