બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 09:35 AM, 19 June 2023
પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરૂષ' પર શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે જેના બાદ હવે મેકર્સે તેને બદલવાનો નિર્ણય કર્યો છે. તેના વિશે ફિલ્મના રાઈટર મનોજ મુંતશિરે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી.
બાળકો માટે બનાવી છે ફિલ્મ
મનોજ મંતુશિર કહે છે, "ફિલ્મનું લક્ષ્ય સનાતનની કથાને ભગવાન શ્રીરામની જે એપિક સ્ટોરી છે તે બાળકો સુધી પહોંચાડવાનું છે. આ ફિલ્મ તે કરી રહી છે જે તેને કરવાનું હતું. બાળકો પોતાના અસલી નાયકોને જાણો. આપણે આવા સમયમાં છીએ જ્યાં એક્સપોઝર ખૂબ જ વધારે છે. બાળકોના દિલ-દિમાગ પર હોલીવુડના કેરેટર રૂલ કરે છે. બાળક હલ્ક અને સુપરમેનને જાણે છે પરંતુ હનુમાન અને અંગદને નહીં. અમારો પ્રયત્ન હતો કે જે આપણા પાત્ર છે તેને બાળકો પણ ઓળખે. જે યુવા વર્ગ છે તે પણ આ ફિલ્મને જુએ."
લોકો ટિકિટ કરી રહ્યા છે કેન્સલ
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ઘણા લોકો છે જે પોતાની ટિકિટ કેન્સલ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ બાળકોના જોવા લાયક ફિલ્મ નથી. અમુક સીન્સ પર દર્શકોને આપત્તિ છે. અમુક ડાયલોગ પર આપત્તિ છે. તેના પર તમારો શું મંતવ્ય છે? મનોજ મુંતશિરે જણાવ્યું કે, "ઘણા ઓછા લોકો છે. હું સંપૂર્ણ આંકડો ન આપી શકૂ. પરંતુ જો તમે પણ જઈને બુક માય શો પર જુઓ તો આખુ ભારત તમને ભગવામાં જ મળશે. ખૂબ જ ઝડપથી સીટ બુક થઈ રહી છે. બે દિવસમાં અમારૂ જે કલેક્શન છે. તે લોકોએ આવીને ફિલ્મ જોઈએ નહીં તો બે દિવસમાં પિક્ચર 200 કરોડની કમાણી કઈ રીતે કરત."
ડાયલોગ્સમાં ફેરફારને લઈને કહી આ વાત
મનોજ મુંતશિરે કહ્યું કે તેમણે ફિલ્મના ડાયલોગને આ અંદાજમાં એટલે લખ્યા હતા કારણ કે બાળક તેમને કનેક્ટ કરી શકે. સમજી શકે. એવામાં તેમને પુછવામાં આવ્યું કે તેના પહેલાની આ ફિલ્મ બાળકો સુધી પહોંચે તેમના ડાયલોગ બદલી દેવામાં આવશે. તો તે પ્રયત્ન હતો કે બાળકો સાથે કનેક્ટ કરવાની તો તે ક્યાંકને ક્યાંક ફેલ થતી જોવા મળી રહી છે. જો તમે ડાયલોગ બદલી રહ્યા છો તો શું તમને લાગે છે કે હવે યંગ જનતા આ ફિલ્મને કનેક્ટ નહીં કરી શકે?
જવાબમાં તેમણે કહ્યું, 'ફિલ્મમાં ફક્ત 5 ડોયલોગ છે. એક ફિલ્મ 4000 હજાર ડાયલોગથી મળીને બને છે. જો 5 ડાયલોગને પસંદ નથી કરવામાં આવ્યા તો 3995 ડોયલોગને પસંદ પણ કરવામાં આવ્યા છે. 4000માંથી 5 બદલવાથી કંઈ ફેર નહીં પડે. જે આપત્તિજનક શબ્દ છે. તેનાથી જનતાને મુશ્કેલી છે અમે બસ તેને બદલી નાખીશું. 3995 ડાયલોગ્સને જનતાએ પોતાનો પ્રેમ આપ્યો છે. '
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime