બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / manmohan singh writes letter to pm narendra modi
Kavan
Last Updated: 07:45 PM, 18 April 2021
આ પત્રમાં તેમણે કોરોના સામે લડવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે કોરોનાને પહોંચી વળવા માટે દેશમાં રસીકરણમાં વધારો કરવાની જરૂર છે.
Former PM Dr Manmohan Singh writes PM Narendra Modi, "The key to our fight against COVID19 must be ramping up the vaccination effort. We must resist the temptation to look at the absolute numbers being vaccinated, and focus instead on the percentage of the population vaccinated" pic.twitter.com/OiDXnngIJ8
— ANI (@ANI) April 18, 2021
શું લખ્યું પત્રમાં ?
PM મોદીને લખેલા પત્રમાં ડો.મનમોહનસિંહે કહ્યું છે કે સરકારે જાહેર કરી દેવું જોઈએ કે કઇ રસી ઉત્પાદક કંપનીઓને આગામી 6 મહિના માટે કેટલી રસીના ડોઝનો આર્ડર આપ્યો છે. તેમનું કહેવું છે કે, જો આપણે આ 6 મહિનાના સમયગાળામાં નિશ્ચિત સંખ્યામાં લોકોને રસી આપીશું, તો આપણે આ માટે પૂરતા ડોઝ મંગાવવાની જરૂર છે. જેથી તે સમયસર અમને ઉપલબ્ધ થઈ શકે.
કેટલા ટકા લોકોને રસી આપવામાં તેના પર ધ્યાન આપવું જોઇએ
મનમોહનસિંહે એવું પણ સૂચન આપ્યું છે કે સરકારે કોરોનાના આ રસી ડોઝ રાજ્યોમાં કેવી રીતે વહેંચવામાં આવશે તે પણ વ્યક્ત કરવું જોઈએ. મનમોહનસિંહે કહ્યું છે કે કેટલા લોકોને રસી આપવામાં આવી છે તે જોવાને બદલે આપણે કેટલી ટકા વસ્તીને રસી અપાઇ છે તેના પર ધ્યાન આપવું જોઈએ.
તેમણે કહ્યું છે કે સરકારને રાજ્યોમાં ફ્રન્ટલાઈન કામદારોની કેટેગરી નક્કી કરવાની છૂટ હોવી જોઈએ. જેથી આવશ્યક સેવાઓમાં રોકાયેલા તે ફ્રન્ટલાઈન કામદારોને પણ રસી આપવામાં આવે છે જે 45 વર્ષથી ઓછા છે અને રાજ્ય સરકારો દ્વારા તેમને ફ્રન્ટલાઈન કામદારોની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.
મનમોહનસિંહે પોતાના પત્રમાં કહ્યું છે કે ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે. હું તેની પ્રશંસા કરું છું. સરકારે રસી ઉત્પાદક કંપનીઓને જરૂરી ભંડોળ અને અન્ય સહાય પૂરી પાડવી જોઈએ જેથી રસીનું ઉત્પાદન મોટી સંખ્યામાં ચાલુ રહે. તેમણે કહ્યું છે કે આ સમયે કાયદામાં જરૂરી લાઇસન્સ આપવાની જોગવાઈઓ લાવવી જોઈએ જેથી વધુમાં વધુ કંપનીઓ લાઇસન્સ હેઠળ રસી પેદા કરી શકે.
24 કલાકમાં 2.60 લાખ કેસ નોંધાયા
દેશમાં કોરોનાના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજ 2 લાખથી વધુ નવા કેસ આવવાની સાથે આજે આ આંક 2.60 લાખ સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો લગભગ 1500થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં 2.60 લાખ નવા કેસના આવતાં જ ગઈકાલના કેસની સરખામણીએ 11. 5 ટાકનો વધારો જોવા મળ્યો છે.
ભારતમાં દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે કોરોના
ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 2 લાખ 60 હજાર 533 આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 17 લાખ 93 હજાર 976 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 47 લાખ 82 હજાર 461 થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 28 લાખ 5 હજાર થઈ છે.
કોરોનાથી રિકવરી રેટ ઘટ્યો
કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની રિકવરીનો રેટ ઘટીને 87.23 ટકા થયો છે. કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,26,71,220 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો