બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:44 AM, 17 April 2024
ઘણી વખત લોકો કેરી ખાતી વખતે એવી ભૂલો કરે છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્ય સાથે બેદરકારી થઈ શકે છે. માટે કેરી ખાવાની યોગ્ય રીત જાણવી ખૂબ જ જરૂરી છે. તમારે કેરી ખાવાના અડધા કલાક પહેલા તેને પાણીમાં જરૂર પલાડવી જોઈએ. જેનાથી કેરી ખાવાનો ભરપૂર ફાયદો મળશે અને કોઈ નુકસાન નહીં થાય.
ADVERTISEMENT
કેરી ખાતા પહેલા કેમ તેને પલાળવી જોઈએ
ફાઈટિક એસિડ નિકળી જાય છે
કેરીમાં નેચરલ ફાઈટિક એસિડ નામનો પદાર્થ હોય છે. જે એન્ટી-ન્યૂટ્રિએન્ટ માનવામાં આવે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવા મિનરલ્સને રોકે છે. તેનાથી શરીરમાં મિનરલ્સની કમી થઈ શકે છે. માટે કેરીને અમુક કલાકો સુધી પાણીમાં પલાળીને ખાવાથી કેસીનું વધારાનું ફાઈટિક એસિડ નિકળી જાય છે.
ADVERTISEMENT
જંતુનાશકો થાય છે ઓછા
કેરીને રાંધવા માટે ઘણા પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ પેટ અને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા કરી શકે છે. જેનાથી માથામાં દુખાવો, કબજીયાત અને ઘણી બીજી સમસ્યાઓ થઈ શકે છે. આ હાનિકારક કેમિકલ્સ ત્વચા, આંખ અને શ્વાસ લેવામાં બળતરા પેદા કરી શકે છે. માટે તમારે ખાવાના અડધા કલાક પહેલા પાણીમાં તેને પલાળીને રાખવી જરૂરી છે.
વધુ વાંચો: સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, જેનું સેવન કરવાથી શરીરને થશે અનેક ફાયદા
કેરીની ગરમી થાય છે ઓછી
પાણીમાં પલાળીને ખાવાથી કેરીની ગરમી ઓછી થાય છે. કેરીની તાસીરમાં થોડી ગરમી હોય છે. તેને વધારે ખાવાથી અમુક લોકોના ચહેરા પર પિમ્પલ્સ નિકળવા લાગે છે. ઘણી વખત ઝાડા ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. પાણીમાં પલાળીને ખાવાથી કેરીની ગરમી ઓછી થઈ જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.