બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mangalwar jarur karein ye upay lord hanuman remove all your life problems

મંગળવાર ઉપાય / મંગળવારના અત્યંત ફળદાયી ઉપાય: હનુમાન દાદાની કૃપાથી દરેક સમસ્યાનું મળશે સમાધાન

Manisha Jogi

Last Updated: 09:25 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારનો દિવસ રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે બજરંગબલીની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. શુભ પરિણામ મેળવવા માટે આજે મંગળવારે આ ખાસ ઉપાય કરવા જોઈએ.

  • મંગળવારનો દિવસ રામ ભક્ત હનુમાનજીને સમર્પિત
  • બજરંગબલીની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે
  • શુભ પરિણામ માટે આજે મંગળવારે આ ખાસ ઉપાય કરો

મંગળવારનો દિવસ રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે બજરંગબલીની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. મંગળવારે મંદિરમાં જઈને ભગવાન હનુમાનના દર્શન કરીને તેમને સિંદૂર અને ચણાના લોટના લાડવા ચઢાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઉપરાંત અલગ-અલગ શુભ પરિણામ મેળવવા માટે આજે મંગળવારે આ ખાસ ઉપાય કરવા જોઈએ. 

  • આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે હનુમાન જીના આ મંત્ર 'ऊँ हं हनुमते नमः નો 21 વાર જાપ કરવો જોઈએ. 
  • દાંપત્યજીવનમાં પહેલા જેવી મીઠાશ લાવવા માટે નિયમિત દિનચર્યા પૂર્ણ કરીને માટીનો દીવો લો, તેમાં ચમેલીનું તેલ લઈને લાલ રંગ લગાવો. હવે હનુમાનજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવો. ભગવાનની સામે દીવો પ્રગટાવતા સમયે દંપતી હાજર હોય તો વધુ સારું, નહીંતર એકલા પણ દીવો કરી શકો છો. દીવો પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસાના પાઠ પણ કરો.
  • કોઈ પણ કાર્ય પૂર્ણ નથી થઈ રહ્યું તો હનુમાનજીના મંદિરે નાળાછડી અર્પણ કરો. ભગવાનના ચરણોમાંથી સિંદૂર લઈને કપાળ પર તિલક કરો. ત્યાં રાખેલ નાળાછડીમાંથી એક લાંબો દોરો કાઢીને તમારા કાંડા પર બાંધો અને બાકીની નાળાછડી મંદિરમાં મુકી દો.
  • દેવાના બોજ હેઠળ દબાયેલા છો, તો આજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. આસન ગ્રહણ કરીને દક્ષિણ તરફ મુખ કરીને બેસો અને ભગવાન હનુમાનનું ધ્યાન કરો. ઋણ મુક્ત મંગલ સ્તોત્રનો પાઠ કરો અને મંગળવારે લોનનો એક હપ્તો ચૂકવી દો.  
  • પરિવારની ખુશીઓ જળવાઈ રહે તે માટે સ્નાન કર્યા પછી ચમેલીના ફૂલ એકત્રિત કરો. ચમેલીના ફૂલની માળા હનુમાનજીના મંદિરે અર્પણ કરો.
  • તમારા પ્રેમી સાથે તમારા સંબંધને મજબૂત કરવા માટે આજે મંગલ મંત્ર ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम: નો 11 વાર જાપ કરો. મંત્રનો જાપ કર્યા પછી હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચઢાવો.
  • ઘર અને પરિવારને ખરાબ નજરથી બચાવવા માટે આજે માટીના વાસણની ખરીદી કરો. હવે તે વાસણમાં મધ નાખીને ઢાંકી દો અને હનુમાનજીના મંદિરમાં મુકી દો.
  • કાર્યની ગતિ જાળવી રાખવા માટે અને  સફળતા સુનિશ્ચિત કરવા માટે સફેદ કોરા કાગળ પર 11 વાર ભગવાન રામનું નામ લખો. તે કાગળને સારી રીતે સૂકવીને તમારા પર્સમાં રાખો.
  • બાળક રાત્રે સૂતી વખતે અચાનક ડરી જાય અથવા અન્ય નવા લોકો સાથે વાત કરવામાં તકલીફ પડતી હોય તો તમારે આજે હનુમાનજીની પૂજા કરો. ભગવાનને સિંદૂર ચઢાવો અને ભગવાનના ચરણમાંથી સિંદૂર લઈને બાળકના કપાળ પર લગાવો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ