બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Bijal Vyas
Last Updated: 07:03 PM, 16 April 2023
Manage blood sugar level: શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા પાછળનું એક મુખ્ય કારણ તમારી ખરાબ લાઇફસ્ટાઇલ છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકોને બ્લડ શુગરની સમસ્યાનો સામનો કરવો પડે છે કારણ કે તેમની લાઇફસ્ટાઇલ ખૂબ જ ખરાબ હોય છે. તો આવો આજે એવી જ કેટલીક એવી વસ્તુઓ અને આદતો વિશે જાણીએ, જેને છોડી કે બદલીને તમે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકો છો.
1. આખી રાત જાગવુઃ આજના સમયમાં લોકો રાત્રે કલાકો સુધી સૂઈને મોબાઈલનો ઉપયોગ કરતા રહે છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે વ્યક્તિને ઉંઘવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, તમારે દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ તમારા સ્વાસ્થ્ય અને મનને સ્વસ્થ રાખવાની સાથે બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. રાત્રે લાંબા સમય સુધી મોબાઈલ કે લેપટોપ પર કામ કરવાથી તમને ભૂખ લાગે છે અને તમે કંઈક એવું ખાઓ છો જેની તમારા બ્લડ સુગર લેવલ પર ખરાબ અસર પડે છે.
2. ફિઝિકલ એક્ટિવિટી ન કરવીઃ ઘણા લોકો એવા છે કે જેઓ ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી કરે છે. જ્યારે તમે ફિઝિકલ એક્ટિવિટ નથી હોતા ત્યારે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થવા લાગે છે. સ્વસ્થ રહેવા માટે, તમારી લાઇફસ્ટાઇલમાં ફિઝિકલ એક્ટિવિટીઓને ચોક્કસપણે સામેલ કરો. આ ન માત્ર તમને સ્વસ્થ રાખશે, પરંતુ તમારા બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. ફિઝિકલ એક્ટિવિટીઓ કરીને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધારી શકાય છે.
3. વધુ પડતો સ્ટ્રેસ લેવોઃ કોઈપણ વસ્તુનો વધુ પડતો સ્ટ્રેસ લેવાથી તમારા એકંદર સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. સ્ટ્રેસ લેવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર ઘટવા લાગે છે અને એપિનેફ્રાઇન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ વધવા લાગે છે, જે તમારા બ્લડ શુગર લેવલને વધારે છે. આવી સ્થિતિમાં સ્ટ્રેસ ઓછો રહે તેવો પ્રયત્ન કરવો જોઇએ.
4. કેલરી કાઉન્ટનું ધ્યાન રાખો: શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે, તમે આખા દિવસમાં કેટલી કેલરીનો વપરાશ કરો છો તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેલરીની સંખ્યા ઘટાડવા માટે, તમારા આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સને સંતુલિત કરવું જરૂરી છે. આ સાથે તમારા આહારમાં ફાઈબરનો સમાવેશ કરવો પણ જરૂરી છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો