બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Long lines formed outside the hospital to donate blood at midnight

ઓડિશા ટ્રેન અકસ્માત / VIDEO: અડધી રાતે રક્તદાન કરવા માટે હોસ્પિટલ બહાર લાગી ગઈ લાંબી લાઈનો, ઓડિશાના લોકોએ રજૂ કરી માનવતાની મિસાલ

Priyakant

Last Updated: 12:28 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha Train Accident News: ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો, મેડિકલ કોલેજમાં રક્તદાન કરવા આવેલ યુવાનોમાં કેટલાક 2 કલાક ઊભા રહ્યા તો કેટલાક 4 કલાક

  • ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે ભયાનક ટ્રેન અકસ્માત
  • અકસ્માત બાદ હોસ્પિટલોમાં જોવા મળ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ 
  • અકસ્માતમાં ઘાયલોને લોહીઓ આપવા લોકોની રીતસર પડાપડી 

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોના ભયાનક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 280થી વધુ લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઘટનાસ્થળે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. આ તમામની વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતી કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. વાત જાણે એમ છે કે, ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો ઉભી છે. આ ઉપરાંત ટીમોની સાથે સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.

ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગે રક્તદાન માટે એક કેમ્પ ગોઠવ્યો છે જ્યાં લોકો રક્તદાન કરી રહ્યા છે. આ બચાવ કાર્યમાં સ્થાનિક લોકો ભારે મદદ કરી રહ્યા છે. તેઓ ઘાયલોને હોસ્પિટલ લઈ જવા સહિત અનેક કામોમાં મદદ કરી રહ્યા છે. એકાએક ઘાયલોની સારવાર માટે લોહીની માંગ વધી ગઈ અને ઘણા યુનિટ લોહીની જરૂર પડી. આ જોઈને લોકોએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. લોકો જાતે જ રક્તદાન કરવા હોસ્પિટલો પહોંચી રહ્યા છે.

રકતદાન કરવા લોકોની લાંબી લાઇન 
આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે સ્થિતિ એવી છે કે, હોસ્પિટલોમાં રક્તદાતાઓની લાઈનો લાગી છે. કહેવામાં આવ્યું કે, બાલાસોરમાં રાતોરાત 500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુવાનોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ છે અને ત્યાં લાંબી કતાર લાગી છે. યુવાનોના હાથમાં ફોર્મ દેખાય છે. કેટલાક 2 કલાક ઊભા રહ્યા તો કેટલાક 4 કલાક ઊભા રહ્યા. આ એવા યુવાનો છે જેઓ મેડિકલ કોલેજમાં રક્તદાન કરવા આવ્યા છે. 

નોંધનીય છે કે, દેશને હચમચાવી નાખનાર આ દુર્ઘટના શુક્રવારે સાંજે કોલકાતાથી 250 કિમી દક્ષિણમાં અને ભુવનેશ્વરથી 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહનાગા બજાર સ્ટેશન પાસે બની હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના બાદ એક દિવસનો રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. રેલ્વેએ આ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે જ્યારે ઘાયલોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. મામૂલી ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ