બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Limbhoi village in Modasa taluk of Aravalli district is a ghost temple
Kishor
Last Updated: 10:18 AM, 15 November 2023
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ ગામની સીમમાં ખેતરમાં વર્ષો જુના વૃક્ષ નીચે ભૂતનાથ બાબરા મહારાજનું મંદિર આવેલું છે. 400 થી વધુ ઘરની વસ્તી ધરાવતું લીંભોઈ ગામના લોકો વર્ષોથી ભૂતનાથની પૂજા કરતા આવ્યા છે. ગ્રામલોકો દ્વારા અહીં બીરાજમાન ભૂતનાથનું પૂજન અર્ચન કરી ખેતી અને ગામની રક્ષા માટે પ્રાર્થના કરતા હતા.આ પ્રાર્થના દ્વારા ખેડૂતો પોતાના પાકની રક્ષા ભૂતનાથ કરે છે એવી માન્યતા આજદિન સુધી આ બાબરાભૂતના મંદિરે રહેલી છે. સમય જતા શ્રધાળુંઓ દ્વારા અનેક બાધા-આંખડી રાખવામાં આવતી અને એ પરિપૂર્ણ થતી તે જોતા ગામના ભકતોએ આ સ્થાન ઉપર બાબરા ભૂતનું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારથી આ પંથકના ખેડૂતો પકવેલો પાક પ્રથમ બાબરાભુતના મંદિરે ધરાવી પછી જ ઘર કે બજારમાં લઇ જવાય છે.
200 વર્ષ થી કરે છે અહી વાસ
એટલું જ નહી આ બાબરા મહારાજના મંદિર ખેડૂતોની રક્ષાની સાથે અનેક શ્રદ્ધાળુઓના દુખ દર્દ દુર થયા હોવાના ઉદાહરણ છે. જેમાં સંતાનપ્રાપ્તિ,ધંધા રોજગાર,વિદેશ યાત્રા વગેરે મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા રહેલી છે. આમ ભૂત પ્રેતના નામથી દેશ અને દુનિયાના લોકો જયારે ભયભીત થતા હોય છે ત્યારે અરવલ્લીમાં આવેલ આ ભૂતનાથ મહારાજ સર્વની મનોકામના પૂર્ણ કરે છે. લોકો દ્વારા ભૂતનાથ મહારાજને સિગરેટનું નૈવીધ્ય ચડાવાય છે.લોકોની આસ્થા ભૂતનાથમાં એટલી છે કે દર વર્ષે અહી પાટોત્સવની પણ અહી ઉજવણી કરવામાં આવે છે.
ગ્રામલોકોને ભુત પર છે અપાર શ્રદ્ધા
500 વીઘા જમીનમાં ખેતરોનું રક્ષણ બાબરા ભૂત કરે છે.આ બાબરાભૂતે અનેક મરણ પથારીએ રહેલા દર્દીઓને સાજા કર્યા હોવાનો પણ ભક્તજનો દાવો કરી રહ્યા છે. ઓછા ભણેલા ગ્રામલોકોની ભૂતનાથ પર આસ્થા ભલે અંધશ્રદ્ધા હોય પણ તેમના જીવનના કષ્ટ દુર કરવામાં તે પુરતી છે તે હકીકત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime