અવનવા નિવેદન આપીને રાજકીય વિવાદ પેદા કરવા માટે જાણીતા મધ્યપ્રદેશના ભાજપ નેતા અને મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએ ફરી એક અજીબ નિવેદન આપ્યું છે.
બિહારમાં સત્તા પરિવર્તન પર ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનું અજીબ નિવેદન
કહ્યું- જેમ છોકરીઓ બોયફ્રેન્ડ બદલી નાખે છે તેમ નીતિશ નવા સાથી શોધી કાઢે છે
કૈલાશ વિજયવર્ગીય અવનવા નિવેદનો આપવા માટે જાણીતા છે
25 દિવસ બાદ અમેરિકાથી મધ્યપ્રદેશ આવનાર વિજયવર્ગીય બોલ્યાં
તાજેતરમાં બિહારમાં નીતિશ કુમારે ભાજપ સાથેનું ગઠબંધન તોડીને આરજેડી સાથે સરકાર બનાવી છે. બિહારમાં સત્તા જતા ભાજપ નેતાઓ અવનવા ઉદાહરણ આપીને સીએમ નીતિશ કુમાર પર કટાક્ષ હુમલાઓ કરી રહ્યાં છે. આ ક્રમમાં હવે ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે એક અજીબ નિવેદન આપીને સરકાર બદલવાના નીતિશ કુમારના નિર્ણયને છોકરીઓ દ્વારા બોયફ્રેન્ડ બદલવા સાથે સરખાવી દીધો.
"When I was travelling abroad, someone there said that women there change their boyfriends at any time. Bihar CM is also similar, never know who's hand he may hold or leave...," says Kailash Vijayvargiya, BJP National General Secretary in Indore, MP pic.twitter.com/zKVAbg0e30
25 દિવસ બાદ અમેરિકાથી મધ્ય પ્રદેશ આવ્યાં કૈલાશ વિજયવર્ગીય
25 દિવસ બાદ અમેરિકાથી મધ્ય પ્રદેશ પરત ફરેલા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે બિહારમાં આવેલા સત્તા પરિવર્તન વખતે હું અમેરિકામાં હતો. ત્યાંના લોકોને મેં કહ્યું કે અમારા દેશમાં જેમ છોકરીઓ પોતાના બોયફ્રેન્ડને બદલી નાખે છે તેવી રીતે નીતિશ કુમાર નવા નવા સાથી શોધી કાઢે છે. વિજયવર્ગીયનો કહેવાનો અર્થ એવો હતો કે નીતિશ કુમાર પલટૂ છે અને ગમે ત્યારે ફરી જાય છે. તેમણે કહ્યું હતું કે જેમ છોકરીઓ પોતાનો બોયફ્રેન્ડ બદલી નાખતા વાર નથી લગાડતી તેમ બિહારના સીએમ નીતિશ કુમાર નવા સાથી શોધી કાઢે છે.
કોંગ્રેસ નેતા કમલનાથના દાવા પર આવું બોલ્યાં
કૈલાશ વિજયવર્ગીયએ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના દાવા પર કહ્યું કે કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે, તેમની ઉંમર હવે 75 વર્ષથી વધુ છે, અને જે રીતે તેઓ સત્તામાં પાછા ફરવાના સપના જોઈ શકે છે, તો તેમણે ચોક્કસ આવા સપના જોવા જોઈએ. જેથી તેમનો સમય કાપી શકાય.
સંસદીય બોર્ડમાં ફેરફારને લઈને આપ્યું નિવેદન
કૈલાશ વિજયવર્ગીયએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હું પશ્ચિમ બંગાળનો હવાલો સંભાળું છું અને કોઈએ ખોટા સમાચાર ઉડાડી દીધા છે. સાથે જ તેમણે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં ફેરફાર અંગે કહ્યું કે, આ પાર્ટીની સામાન્ય પ્રક્રિયા છે, જે લાંબા સમયથી તે બોર્ડમાં હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે.