બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Landfall forecast after 9 pm now, appeal to people to stock up on essentials - keep mobile batteries charged
Malay
Last Updated: 12:38 PM, 15 June 2023
ગુજરાતની માથે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડું સતત ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 170 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે.
Cyclone Warning for Saurashtra and Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0830IST today near lat 22.6N & long 67.1E, about 170km WSW of Jakhau Port (Gujarat) and 210km West of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of today as VSCS. pic.twitter.com/iESz82jRRW
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
શંકર ચૌધરીએ જનતાને અપીલ
સતત આગળ વધી રહેલા બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જનતાને અપીલ કરી છે. શંકર ચૌધરીએ જણાવ્યું છે કે, આપણે સાવધાની રાખવાની છે. વાવાઝોડાના સમયે લોકોએ ઘરોની અંદર જ રહેવું. વાવાઝોડું પસાર થઈ જાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું.
ખોટી અફવાઓથી દૂર રહેવુંઃ શંકર ચૌધરી
તેઓએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, દરેકે જીવન જરૂરી ચિજવસ્તુનો સંગ્રહ કરી લેવો અને મોબાઈલની બેટરી ફુલ રાખવી. સાથે જ ઘરમાં ટોર્ચની વ્યવસ્થા પણ કરી લેવી. તેઓ જણાવ્યું કે, પશુપાલકોએ પશુઓની ખાસ કાળજી રાખવી. અંતે તેઓએ જણાવ્યું કે, ગુજરાતના લોકોએ અફવાઓમાં ન દોરાવું નહીં અને ખોટી અફવા ફેલાવવી નહીં.
ગેનીબેન ઠાકોરે પણ લોકોને સાવચેત રહેવાની કરી અપીલ
શંકર ચૌધરી ઉપરાંત વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ વાવાઝોડાને લઈને લોકોને અપીલ કરી છે. તેઓએ લોકોને પૂરતી તકેદારી રાખવા અને કોઈ અફવામાં ન આવવાની અપીલ કરી છે. ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે, લોકોએ પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરવું. દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓને લોકો સુરક્ષિત જગ્યાએ રાખવા. પશુઓને સલામત અને યોગ્ય જગ્યાએ ખસેડી દેવા. આપતિ સમયે લોકો ગભરાયા વગર તંત્ર અથવા મારો સંપર્ક કરે. ગેનીબેન ઠાકોરે વીડિયો વાયરલ કરી પોતાનો નંબર આપી લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
આજે રાત્રે વાવાઝોડું લેન્ડફોલ થશેઃ આલોક પાંડે
બિપોરજોય વાવાઝોડાના સંકટ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે કે, આજે રાત્રે વાવાઝોડું લેન્ડફોલ થશે, વાવાઝોડું ટકરાશે ત્યારે પવન 115થી 125 કિમીની ઝડપે ફૂંકાશે. વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારે વરસાદ થશે. વાવાઝોડાને લઈ પાટણ અને બનાસકાંઠાને સતર્ક રહેવા કહેવાયું છે. અત્યાર સુધી 95 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવાઝોડાની સમીક્ષા કરી રહ્યા છે. આજે પણ CMએ સમીક્ષા બેઠક યોજી છે.
કેન્દ્ર સરકાર સતત કરી રહી છે મોનીટરીંગ
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.
ગુજરાતમાંથી કુલ કેટલાં લોકોનું સ્થળાંતર કરાયું?
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં 95 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. જૂનાગઢમાંથી 4 હજાર 462 અને કચ્છમાંમાંથી 17 હજાર 739 લોકોનું સ્થળાંતર, જામનગરમાંથી 8 હજાર 542 અને પોરબંદરમાંથી 3 હજાર 469 લોકો, દેવભૂમિ દ્વારકામાંથી 4 હજાર 863 અને ગીર સોમનાથમંથી 1 હજાર 605 લોકોનું સ્થળાંતર, મોરબીમાંથી 1 હજાર 936 અને રાજકોટમાંથી 4 હજાર 497 લોકોનું સ્થળાંતર કરાયું છે. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો