બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Lalu Yadav returns to Patna after treatment at Delhi AIIMS CM Nitish Kumar arrives to meet

મુલાકાત / દિલ્હી AIIMSમાં સારવાર બાદ લાલુ યાદવ પટના પરત ફર્યા, CM નીતિશ કુમાર પહોંચ્યા મળવા

Kishor

Last Updated: 11:51 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફેક્ચરની સારવાર બાદ રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ આજે પોતાના નિવાસ્થાન પટના પહોંચ્યા હતા.

  • લાલુ પ્રસાદ યાદવ આજે દિલ્હીથી પટના પરત ફર્યા
  • પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પહોંચ્યા મળવા 
  •  લાલુ યાદવના નિવાસસ્થાને તેમના સમર્થકોની મોટી ભીડ

લાલુ યાદવની તબિયત બગડતા તેમને સારવાર અર્થએ પ્રથમ પટના ખસેડવામાં  આવ્યા હતા ત્યારબાદ વધુ સરવારની જરૂર જણાતા તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ હતી. ત્યારબાદ સારવારમાં તેમની તબિયત સ્થિર થતાં 22 જુલાઈના રોજ એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. જેને લઈને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ આજે દિલ્હીથી પટના પરત ફર્યા હતા. 

મુખ્યમંત્રી નીતિશ કુમારે લાલુ યાદવ સાથે મુલાકાત કરી 

દિલ્હીથી વિમાન દ્વારા પટના પહોંચ્યા બાદ લાલુ યાદવ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ અંગે લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી એટલું જ નહીં તમણે પોતાનો અને લાલુ યાદવના પ્લેનના ફોટા સાથે ટ્વીટ કર્યું હતું. આ દરમિયાન લાલુ યાદવના નિવાસસ્થાને તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમની રાહ જોઈ રહ્યા હતા. આ તકે પટના પહોંચ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આરજેડીના પ્રમુખ લાલુ યાદવ સાથે મુલાકાત કરી હતી.નવી સરકારની રચના બાદ બિહારના સીએમ નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચે પહેલી મુલાકાત થઇ હતી.

 6 જુલાઈના રોજ દિલ્હીની AIIMSમાં કરાયા હતા દાખલ 


અત્રે નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવને પટનામાં પોતાના ઘરમાં પડી જવાને કારણે ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તેમને 6 જુલાઈના રોજ દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 22 જુલાઈએ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે દિલ્હીમાં પોતાની પુત્રી મીસા ભારતીના ઘરે સારવાર અને આરામ લીધો હતો અને આજે તેઓ દિલ્હીથી પટના પરત ફર્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ