દૂરદર્શન પર રામાયણનું ફરી પ્રસારણ થવાથી દર્શકો ખૂબ જ ખુશ છે. રામાયણ દિવસમાં બેવાર પ્રસારિત કરવામાં આવે છે. જેના કારણે કહાની જલ્દી આગળ વધી રહી છે અને હાલના એપિસોડમાં ભગવાન રામે કુંભકરણનો વધ કરી દીધો છે. આ એપિસોડ બાદ સોશિયલ મીડિયા પર કુંભકર્ણની ખૂબ પ્રસંશા થઈ રહી છે અને તેના ઘણાં મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે અને અત્યારે ટ્વિટર પર હેશટેગ #Kumbhkaran ટ્રેન્ડ કરવા લાગ્યું.
તમને જણાવી દઈએ કે, કુંભકર્ણ રાવણનો ભાઈ હતો. રામાયણના આ એપિસોડમાં કુંભકર્ણ રાવણને તેના વિનાશ વિશે જણાવે છે. કુંભકર્ણ રાવણને સીતાનું હરણ કરવા માટે પૂર્વજોના શાપની વાત યાદ અપાવે છે. કુંભકર્ણ રાવણને સદાચારની યાદ અપાવે છે. આ વસ્તુઓ લોકોના હૃદયને સ્પર્શી ગઈ અને લોકોને કુંભકર્ણની આ વાતોના ફેન થઈ ગયા.
કુંભકર્ણને સારી રીતે ખબર હતી કે, રાવણ યુદ્ધ જીતી શકશે નહીં અને તે આ યુદ્ધમાં માર્યો જશે, તેમ છતાં તે પોતાના ભાઈ માટે યુદ્ધમાં ગયો. કુંભકર્ણનું ભાષણ લોકોના દિલને સ્પર્શી ગયું. લોકો કુંભકર્ણની આદતો અને પોતાની આદતોની સરખામણી કરતા મીમ્સ પણ બનાવી રહ્યાં છે અને આવા મીમ્સમાં લોકો એકબીજાને ટેગ પણ કરી રહ્યાં છે.