બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kumbhkaran killed by ram in ramayan memes and jokes went viral over social media

રામાયણ / કુંભકર્ણની આ વાત લોકોના હૃદયને સ્પર્શી ગઈ, તો ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું #Kumbhkaran

Noor

Last Updated: 02:48 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂરદર્શન પર રામાયણનું ફરી પ્રસારણ થવાથી દર્શકો ખૂબ જ ખુશ છે. રામાયણ દિવસમાં બેવાર પ્રસારિત કરવામાં આવે છે. જેના કારણે કહાની જલ્દી આગળ વધી રહી છે અને હાલના એપિસોડમાં ભગવાન રામે કુંભકરણનો વધ કરી દીધો છે. આ એપિસોડ બાદ સોશિયલ મીડિયા પર કુંભકર્ણની ખૂબ પ્રસંશા થઈ રહી છે અને તેના ઘણાં મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે અને અત્યારે ટ્વિટર પર હેશટેગ #Kumbhkaran ટ્રેન્ડ કરવા લાગ્યું.

  • રામાયણના રિ-ટેલિકાસ્ટથી દર્શકો થયા ખુશ
  • હાલ રામાયણમાં રામે કુંભકર્ણનું વધ કરી દીધું છે
  • ત્યારે કુંભકર્ણની વાતોના ફેન થઈ ગયા છે યુઝર્સ

તમને જણાવી દઈએ કે, કુંભકર્ણ રાવણનો ભાઈ હતો. રામાયણના આ એપિસોડમાં કુંભકર્ણ રાવણને તેના વિનાશ વિશે જણાવે છે. કુંભકર્ણ રાવણને સીતાનું હરણ કરવા માટે પૂર્વજોના શાપની વાત યાદ અપાવે છે. કુંભકર્ણ રાવણને સદાચારની યાદ અપાવે છે. આ વસ્તુઓ લોકોના હૃદયને સ્પર્શી ગઈ અને લોકોને કુંભકર્ણની આ વાતોના ફેન થઈ ગયા. 

કુંભકર્ણને સારી રીતે ખબર હતી કે, રાવણ યુદ્ધ જીતી શકશે નહીં અને તે આ યુદ્ધમાં માર્યો જશે, તેમ છતાં તે પોતાના ભાઈ માટે યુદ્ધમાં ગયો. કુંભકર્ણનું ભાષણ લોકોના દિલને સ્પર્શી ગયું. લોકો કુંભકર્ણની આદતો અને પોતાની આદતોની સરખામણી કરતા મીમ્સ પણ બનાવી રહ્યાં છે અને આવા મીમ્સમાં લોકો એકબીજાને ટેગ પણ કરી રહ્યાં છે. 

તમને જણાવી દઈએ કે, ભારતીય ટેલિવિઝન પર રામાયણે ટીઆરપીના નવા રેકોર્ડ બનાવ્યા છે. જેથી રામાયણની સક્સેસને  જોતાં 90ના દશકના અન્ય શોઝની પણ વાપસી થઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ram Ramayan Social Media doordarshan jokes killed kumbhkaran memes viral Ramayan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ