બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:29 PM, 28 October 2025
ગુજરાતમાં ખાદ્ય પદાર્થો અને દવાઓમાં ભેળસેળના કેસો સતત સામે આવી રહ્યા છે. નકલી ઘી, માખણ, પનીર અને દવા જેવા ભેળસેળિયા માલના જથ્થા ઝડપાયા બાદ હવે આ મુદ્દો રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રીને પત્ર લખીને ભેળસેળિયા માફિયાઓ સામે કડક કાયદો લાવવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, “જ્યાં સુધી કાયદાકીય ધોરણ મજબૂત નહીં બને, ત્યાં સુધી આવા માફિયાઓ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે.”
ADVERTISEMENT
“ભેળસેળિયા સામે કાયદો જ નથી, તો અધિકારીઓ કાર્યવાહી કેવી રીતે કરશે?” – કુમાર કાનાણી
કુમાર કાનાણીએ VTV ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે,
ADVERTISEMENT
“હું આરોગ્ય મંત્રી હતો ત્યારે પણ આ પ્રશ્ન ગંભીર હતો,પણ મારી પાસે સંપૂર્ણ સત્તા ન હોવાથી યોગ્ય કાર્યવાહી થઈ શકી નહીં.”
તેમણે ઉમેર્યું કે, “હું રાજ્ય કક્ષાનો આરોગ્ય મંત્રી હતો અને મારી ઉપર નીતિન પટેલ હતા.હું ચાર વર્ષ મંત્રી રહ્યો, જેમાંથી ત્રણ વર્ષ કોરોનાના સમયમાં ગયા.તેથી હું યોગ્ય રીતે કામ કરી શક્યો નહીં અને એ જ કારણથી મારો મંત્રીપદ પણ ગયું.”
ADVERTISEMENT
તેમણે સ્વીકાર્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ભેળસેળિયા સામે પૂરતી કાર્યવાહી ન થઈ શકી,પણ હવે તેમની માંગ છે કે હાલના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાસે સંપૂર્ણ સત્તા છે.અને તેઓ ઈચ્છે તો આવા માફિયાઓ સામે કડક કાયદો લાવી શકે છે.
આ પણ વાંચોઃ સિવિલ હોસ્પિટલમાં ચમત્કાર, મર્યાની 15 મિનિટ બાદ જીવતો થયો દર્દી, ધબકારા ચૂકી જવાય તેવું બોલ્યો
ADVERTISEMENT
“માફિયાઓને ડરાવવા માટે વિધાનસભામાં કડક કાયદો પસાર કરો”
કાનાણીએ સ્પષ્ટ કહ્યું કે માત્ર ચેતવણી આપવાથી કે દંડ ફટકારવાથી પરિણામ નહીં મળે.“ભેળસેળિયા માફિયાઓને સાચે ડર લાગવો હોય, તો વિધાનસભામાં કડક કાયદો પસાર કરવો જરૂરી છે,” એમ તેમણે કહ્યું.
ADVERTISEMENT
તેમણે ઉલ્લેખ કર્યો કે તાજેતરમાં અનેક શહેરોમાં નકલી ઘી, માખણ, પનીર અને દવાના જથ્થા ઝડપાયા છે,પણ એ કેસોમાં શું કાર્યવાહી થઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી.
તેથી, હવે સમય આવી ગયો છે કે ભેળસેળ વિરુદ્ધ કાયદાકીય તલવાર તિક્ષ્ણ કરવામાં આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.