બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / know what Arun Govil said about Ranbir Kapoor's character in Ramayana

મનોરંજન / 'હું તેઓને જેટલા ઓળખું છું...', રામાયણમાં રણબીર કપૂરના કેરેક્ટરને લઇ શું બોલ્યા અરૂણ ગોવિલ

Megha

Last Updated: 09:40 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાનંદ સાગરના ટીવી શો 'રામાયણ'માં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે તાજેતરમાં રણબીર કપૂરના વખાણ કરતાં કહ્યું કે, 'રણબીર સારો એક્ટર છે ખૂબ જ સંસ્કારી બાળક છે.'

ડાયરેક્ટર નિતેશ તિવારીની 'રામાયણ' આ દિવસોમાં સૌથી વધુ ચર્ચિત ફિલ્મ બની છે. આ ફિલ્મ તેની જોરદાર સ્ટાર કાસ્ટને કારણે પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર રામની ભૂમિકા ભજવશે તો સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે અને 'KGF' ફેમ યશ રાવણની ભૂમિકા ભજવશે.

એવામાં ટીવી સીરીયલ 'રામાયણ'માં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે તાજેતરમાં એક વાતચીત દરમિયાન ફિલ્મ અને રણબીર કપૂરને કાસ્ટ કરવા વિશે વાત કરી હતી.

એ વાત તો જાણીતી જ છે કે અરુણ ગોવિલે 'રામાયણ' દ્વારા એટલી બધી નામના અને લોકપ્રિયતા મેળવી છે કે આજ સુધી કોઈ તેમની સાથે સ્પર્ધા કરી શક્યું નથી. ઘણા લોકોએ ફિલ્મો અને ટીવી શો બનાવ્યા છે, પરંતુ આજે પણ લોકો રામના પાત્ર માટે પહેલા અરુણ ગોવિલનું નામ અને ચહેરો યાદ કરે છે. એવામાં સમાચાર હતા કે અરુણ ગોવિલ ફિલ્મ 'રામાયણ'માં રાજા દશરથની ભૂમિકા ભજવી શકે છે જો કે આ વિશે સત્તાવાર માહિતી સામે આવી નથી. 

એવામાં હવે રામાનંદ સાગરના આઇકોનિક ટીવી શો 'રામાયણ'માં રામની ભૂમિકા ભજવવા માટે જાણીતા અરુણ ગોવિલે તાજેતરમાં રણબીર કપૂરના વખાણ કર્યા છે અને તેના પાત્ર વિશે વાત કરી છે. અરુણ ગોવિલે કહ્યું હતું કે, ' ફિલ્મની ભૂમિકાઓ હિટ થશે કે નહીં તે તો સમય જ કહેશે. અગાઉથી કંઈ કહી શકાય નહીં,જ્યાં સુધી રણબીરની વાત છે તો તે એક સારો એક્ટર છે અને જ્યાં સુધી હું તેને ઓળખું છું, તે ખૂબ જ સંસ્કારી બાળક છે. તેમની અંદર નૈતિકતા, મૂલ્યો અને સંસ્કૃતિ છે. મેં તેને ઘણી વખત જોયો છે. મને ખાતરી છે કે તે પોતાના સ્તર પર પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે અને આ ભૂમિકા સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરશે.' 

વધુ વાંચો: ફરીવાર ઓસ્કારમાં નાટૂ-નાટૂનો ડંકો વાગ્યો, ફિલ્મ RRRને મળ્યું લોસ એન્જલ્સમાં સન્માન

અહેવાલો અનુસાર, રણબીર અને સાઈ પલ્લવી આ ફિલ્મમાં ભગવાન રામ અને સીતાની ભૂમિકા ભજવવાના છે અને સની દેઓલ હનુમાનનું પાત્ર ભજવી શકે છે, જ્યારે લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ કૈકેયી અને શૂર્પણખાનું પાત્ર ભજવી શકે છે. 'રામાયણ'નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. અત્યારે મેકર્સ લુક ટેસ્ટ પર કામ કરી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ