શરીર પર તલ જોવા મળે તે સામાન્ય વાત છે, આ તલ જન્મથી જ અથવા તો જન્મ બાદ પણ હોઇ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ તલનું વિશેષ મહત્વ રહેલુ છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, આ તલનું કનેક્શન વ્યકિતના નસીબ સાથે રહેલુ છે. તો ચાલો જાણીએ શરીર પર તલના વિશે જ આર્થિક રીતે શુભ માનવામાં આવે છે.
- સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જે વ્યકિતના પેટ પર તલ હોય તે ધનવાન હોય છે અને ખાવાના ખૂબ જ શોખિન હોય છે.
- જો વ્યકિતના પગના અંગૂઠા પર તલ હોય તો તે ધનયોગનો સંકેત છે.આ વ્યકિત સામાજિક હોય છે અને યશ પ્રાપ્ત કરે છે.
- સમુદ્રશાસ્ત્ર અનુસાર, જે વ્યકિતની નાભિ અને જનનાંગની વચ્ચે તલ હોય છે તેને ક્યારેય પણ પૈસાની અછત રહેતી નથી.
- સમુદ્રશાસ્ત્ર અનુસાર, જે કોઇ વ્યકિતની બંને ભવંર વચ્ચે તલ હોય તેવા લોકોનું વૈવાહિક જીવન સફળ હોય છે અને તેઓ આર્થિક રીતે મજબૂત હોય છે.
- જે વ્યકિતના હોઠની આસપાસ તલ હોય તે ખૂબ જ સુંદર હોય છે. તેમની પાસે ભરપૂર પ્રમાણમાં ધન હોય છે. આ સિવાય જે યુવતીના ચહેરા પર હોય તે સુંદર હોય છે.
- સમુદ્રશાસ્ત્ર અનુસાર, જે વ્યકિતના હાથની આંગળીઓ પર અલગ-અલગ જગ્યાએ તલ હોય તેનું એક અલગ મહત્વ રહેલુ છે.જે વ્યકિતના હાથની સૌથી નાની આંગળી પર તલ હોય તેઓ અપાસ સંપત્તિના માલિક હોય છે. જે વ્યકિતના હાથના પંજાની ટચલી પહેલાની આંગળીઓ વચ્ચે તલ હોય તેવા લોકોને અપાર ધન અને યશ મળે છે. જે વ્યકિતની તર્જની આગંળી પર તલ હોય તેઓ ધનવાન હોય છે પણ શત્રુઓ પરેશાન કરે છે.
- જે વ્યકિતના નાક પર તલ હોય તેઓને આ તલ ધનપ્રાપ્તિનો ઇશારો કરે છે. જે વ્યકિતની પીઠ પર તલ હોય તેઓ ખૂબ ધનની કમાણી કરે છે અને ખર્ચ પણ કરે છે.