બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:58 PM, 16 September 2023
ADVERTISEMENT
ખેડાનાં ઠાસરામાં શિવજીની શોભાયાત્રમાં થયેલ પથ્થર મારા બાદ ગામમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ આ બાબતે જણાવ્યું હતું કે, બંન પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે 11 આરોપીઓમાં 2 નગર સેવકો છે. આ અંગે મદરેસાનાં આગેવાનોની પૂછપરછ કરી હતી. મદરેસામાં ઘણા સમયથી ઈંટોનો ઢગલો પડ્યો હતો. બીજી એક બે જગ્યાએ નાની મોટી તોડફોડ થઈ હતી. જે લોકોએ તોડફોડ કરી છે. તેમની સામે એક્શન લેવાશે. હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

પથ્થરમારામાં 2 નગરસેવક અને 1 નગરસેવકના પતિની સંડોવણી
ખેડાનાં ઠાસરામાં થયેલા પથ્થરમારામાં પોલીસ દ્વારા 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પથ્થરમારામાં 2 નગર સેવક અને 1 નગર સેવકનાં પતિની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં મહંમદ અબરાર રિયાઝુદ્દીન, રૂકમુદ્દીન લીયાકતઅલી સૈયદ નામનાં બે નગર સેવકો સંડોવાયેલા હતો. જ્યારે અન્ય એક આરોપી અશફાકઅલી બેલીમની જેઓની પત્નિ નગર સેવક છે. ગત રોજ શિવજીની શોભાયાત્રા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

નગરપાલિકા દ્વારા માપણી ચાલુ કરવામાં આવી
શિવજીની યાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે ઠાસરામાં અજંપા ભરી પરિસ્થિતિ છે. ત્યારે ઠાસરા પ્રાંત અધિકારીએ નગર પાલિકાને હંગામી દબાણની માપણી કરાવવા આદેશ આપ્યો છે. જેને લઈ નગર પાલિકા દ્વારા માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપને જણીવીએ કે, થોડાક સમય બાદ બુલડોઝર ફેરવી દબાણ દૂર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ADVERTISEMENT
મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા
ખેડા જિલ્લાના ઠાસરામાં પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા છે. પોલીસ દ્વારા મદરેસાની છત પર જઇને તપાસ કરાઇ હતી. જ્યા પૂર્વયોજિત કાવતરું હતું કે કેમ તેને લઇને તપાસ શરૂ કરાઈ છે. શ્રાવણી અમાસને લઈ ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.