બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Vishal Khamar
Last Updated: 09:58 PM, 16 September 2023
ખેડાનાં ઠાસરામાં શિવજીની શોભાયાત્રમાં થયેલ પથ્થર મારા બાદ ગામમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ આ બાબતે જણાવ્યું હતું કે, બંન પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે 11 આરોપીઓમાં 2 નગર સેવકો છે. આ અંગે મદરેસાનાં આગેવાનોની પૂછપરછ કરી હતી. મદરેસામાં ઘણા સમયથી ઈંટોનો ઢગલો પડ્યો હતો. બીજી એક બે જગ્યાએ નાની મોટી તોડફોડ થઈ હતી. જે લોકોએ તોડફોડ કરી છે. તેમની સામે એક્શન લેવાશે. હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પથ્થરમારામાં 2 નગરસેવક અને 1 નગરસેવકના પતિની સંડોવણી
ખેડાનાં ઠાસરામાં થયેલા પથ્થરમારામાં પોલીસ દ્વારા 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પથ્થરમારામાં 2 નગર સેવક અને 1 નગર સેવકનાં પતિની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં મહંમદ અબરાર રિયાઝુદ્દીન, રૂકમુદ્દીન લીયાકતઅલી સૈયદ નામનાં બે નગર સેવકો સંડોવાયેલા હતો. જ્યારે અન્ય એક આરોપી અશફાકઅલી બેલીમની જેઓની પત્નિ નગર સેવક છે. ગત રોજ શિવજીની શોભાયાત્રા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો.
નગરપાલિકા દ્વારા માપણી ચાલુ કરવામાં આવી
શિવજીની યાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે ઠાસરામાં અજંપા ભરી પરિસ્થિતિ છે. ત્યારે ઠાસરા પ્રાંત અધિકારીએ નગર પાલિકાને હંગામી દબાણની માપણી કરાવવા આદેશ આપ્યો છે. જેને લઈ નગર પાલિકા દ્વારા માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપને જણીવીએ કે, થોડાક સમય બાદ બુલડોઝર ફેરવી દબાણ દૂર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા
ખેડા જિલ્લાના ઠાસરામાં પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા છે. પોલીસ દ્વારા મદરેસાની છત પર જઇને તપાસ કરાઇ હતી. જ્યા પૂર્વયોજિત કાવતરું હતું કે કેમ તેને લઇને તપાસ શરૂ કરાઈ છે. શ્રાવણી અમાસને લઈ ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime