બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો વળાંક: સિયા અને ચેતન વચ્ચે 'કોડવર્ડ' માં થતી હતી વાત

નેશનલ / કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો વળાંક: સિયા અને ચેતન વચ્ચે 'કોડવર્ડ' માં થતી હતી વાત

Pravin Joshi

Last Updated: 06:19 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેતન અગ્રવાલ હત્યાકેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેનો પ્રેમી ચેતન ચૌધરી ગુપ્ત કોડવર્ડમાં વાત કરતા હતા. પોલીસે સિયાનો બીજો મોબાઇલ જપ્ત કરી બંનેના પોલીગ્રાફ ટેસ્ટ માટે કોર્ટ પાસે મંજૂરી માંગી છે.

કેતન અગ્રવાલ હત્યાકેસની ચાલી રહેલી તપાસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ ચકચારી કેસમાં પોલીસે કોર્ટ પાસે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી વધુ 3 દિવસ લંબાવવાની માંગ કરી હતી. જો કે, અદાલતે આ માંગણી ફગાવી દઈને બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પરસ્પર વાતચીત કરવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ કરતા હતા, જેનો અર્થ અને હેતુ શોધવા પોલીસ મથામણ કરી રહી છે.

Pune Crime Siya Goyal - VTV GUJARATI

સિયાનો બીજો મોંઘો મોબાઈલ ફોન જપ્ત કરાયો

આ હાઈ-પ્રોફાઈલ કેસની વિગતો આપતાં તપાસ અધિકારી મનોજ પવારે જણાવ્યું કે, કસ્ટડી દરમિયાન ચેતનની સગામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે સિયાના પાસપોર્ટ અને અન્ય પાસાઓ અંગે પણ ઝીણવટભરી તપાસ કરાઈ હતી. આ દરમિયાન, સિયાના ઘરેથી તેનો બીજો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ પૂર્વે પોલીસ બંને આરોપીઓનો 1-1 મોબાઇલ ફોન પહેલાથી જ પોતાના કબજામાં લઈ ચૂકી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ડિજિટલ ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા અને ચેતન વાતચીત દરમિયાન કોડવર્ડ્સ વાપરતા હતા. હવે આ બીજા મોબાઈલની ઊંડી ફોરેન્સિક તપાસ દ્વારા આ કોડવર્ડ્સનો અર્થ, તેનો વાસ્તવિક હેતુ અને હત્યાના ષડયંત્ર સાથે તેનો શું સંબંધ છે તે શોધી કઢાશે. આ જ કારણોસર પોલીસ બંનેની કસ્ટડી વધુ 3 દિવસ મેળવવા માંગતી હતી. સરકારી પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે નવો મોબાઈલ મળ્યા બાદ બંને આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવી અત્યંત જરૂરી છે, કારણ કે આ કોડવર્ડ્સનો અસલી અર્થ માત્ર સિયા અને ચેતન જ સ્પષ્ટ કરી શકે તેમ છે.

Pune Crime Siya Goyal - VTV GUJARATI

લોહગઢ કિલ્લા પર હત્યાનું કર્યું હતું 'રિહર્સલ'

આ પૂર્વે મંગળવારના રોજ સવારે પોલીસ સિયા ગોયલને પુણેના લુલ્લાનગર સ્થિત એ જગ્યા પર લઈ ગઈ હતી, જ્યાં તેણે અને ચેતને કથિત રીતે લોહગઢ કિલ્લા પરથી કેતન અગ્રવાલને ધક્કો મારીને પાડી દેવાની 'રિહર્સલ' કરી હતી. પોલીસનો દાવો છે કે મે મહિનામાં જ બંનેએ આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવા માટે આ જગ્યાએ પ્લાનિંગ મુજબ પ્રેક્ટિસ કરી હતી. સિયાએ પોલીસ સમક્ષ ઘટનાસ્થળે એ ચોક્કસ જગ્યાની ઓળખ પણ કરી બતાવી છે.

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસમાં મોટી હલચલ, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુખજિંદર સિંહ રંધાવા

તપાસ દરમિયાન પોલીસે સિયાના ઘરેથી ઘટનાના દિવસે તેણે પહેરેલા કથિત કપડાં પણ રિકવર કર્યા છે. આ ઉપરાંત, બંને આરોપીઓ સતત જૂઠું બોલતા હોવાની શંકાના આધારે તેમનો પોલીગ્રાફ ટેસ્ટ (Polygraph Test) કરાવવા માટે કોર્ટ પાસે કાનૂની મંજૂરી માંગવામાં આવી છે. પોલીસના મતે, પ્રેમ સંબંધમાં અવરોધ બનતો હોવાના કારણે કેતન અગ્રવાલની પ્લાનિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SiyaGoel KetanMurderCase ChetanChaudhary
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ