બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 07:52 PM, 25 December 2022
અમદાવદામાં કાકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્નિવલનો આજે ખુલ્લો મુક્યો છે. 25થી 31 ડીસેમ્બર સુધી કાકરિયા કાર્નિવલ ચાલશે જેથી ટ્રાફિકને લઈ સમસ્યા ન થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી છે.
Live: અમદાવાદ ખાતે કાંકરીયા કાર્નિવલ 2022 નું ઉદ્ઘાટન. https://t.co/xM7sux9hIw
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2022
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સતર્ક
કાકરિયા આસપાસ ટ્રફિક ન થાય તે માટે ટ્રાફિક પોલીસે નો પાર્કિગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્નનના રૂટ જાહેર કર્યા છે. તેમજ કેટલાક માર્ગો પર સવારે 7થી રાતના એક વાગ્યા સુધ ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કેમેરાથી સમગ્ર કાર્યક્રમ પર નજર રખાશે
કાર્નિવલ દરમ્યાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મેડીકલ સહિતની ટીમ તેમજ મેડીકલવાન પણ ત્યાં રાખવામાં આવ્યાં છે. તેમજ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાંકરિયામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે. તેમજ તેના માટે અલગ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
6 દિવસ સુધી યોજાશે અલગ-અલગ કાર્યક્રમો
અમદાવાદના આંગણે 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રાખવામા આવ્યા છે. જેમાં રાજભા ગઢવી, વિજય સુવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો ભજન સાહિત્યની રમઝટ બોલાવશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે લેસર બીમ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બાળકો માટે બાળ નગરી ઉભી કરાઈ
વધુમાં આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા તીસરી આંખ થકી સતત મોનીટરીંગ અને નજર રાખવામાં આવશે. વધુમાં અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. આ અવસરે 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકશે જે તમામને નિઃશુલ્ક પ્રવેશ આપવામા આવશે. આ ઉપરાંત નાના બાળકો માટે બાળનગરી બનાવાઈ છે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ અને વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનના સભ્ય કામગીરી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime