બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ એકાએક ગુમ થતા સાધુ-સંતોમાં હડકંપ, મળી સુસાઇડ નોટ
Last Updated: 03:07 PM, 2 November 2025
જૂનાગઢ-ભવનાથમાં ભારતી આશ્રમના લઘુમહંત, મહાદેવ ભારતી બાપુ, આજે સવારે ગુમ હોવાનું નોંધાયું છે. આશ્રમ સંચાલકોને બાપુના ગુમ થયાની હજી સવારે જાણ થઈ હતી, જેના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. ભવનાથ પોલીસ અને જુનાગઢ પોલીસની ટીમો દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર, બાપુએ એક સુસાઈડ નોટ લખી હોવાની માહિતી મળી છે. નોટમાં તેમના અંગત મનદુખ અને સમસ્યાઓના કારણો જણાવ્યાં હોવાનું માનવામાં આવે છે. જોકે, નોટમાં કોઈ વ્યક્તિનું નામ લખાયું છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી.
આ ઘટનાની ખબર મળતા, આશ્રમના સેવકો અને લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. મહાદેવ ભારતી બાપુના ગુમ થતાં આશ્રમમાં તણાવનો માહોલ છવાયો છે. સ્થાનિક પોલીસ અને સંચાલકો આ કેસને ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છે અને બાપુને વહેલી તકે સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ ઘટના જુનાગઢ-ભવનાથના લોકોમાં ચકચારનું કારણ બની છે અને આશ્રમની નિયમિત કામગીરી પર પણ અસર પડી રહી છે. સ્થાનિક લોકો અને આશ્રમના ભક્તો બાપુ ગુમ થવાને લઇને ચિંતામાં છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.