બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Priyakant
Last Updated: 09:24 AM, 9 April 2024
Arvind Kejriwal News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી તેમને રાહત મળશે? આ અંગે આજે નિર્ણય લેવામાં આવનાર છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટ આજે બપોરે 2.30 વાગ્યે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર ચુકાદો આપશે. આ પહેલા હાઈકોર્ટે 3 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નોંધનીય છે કે, EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.
અરવિંદ કેજરીવાલે 22 માર્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડ પસાર કરવાના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને ગેરકાયદેસર ગણાવ્યા હતા. આ કેસની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. બંને પક્ષો (ED અને કેજરીવાલ)ની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ 3 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ તરફ છેલ્લી સુનાવણીમાં EDએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આગામી ચૂંટણીઓના આધારે ધરપકડમાંથી 'મુક્તિ'નો દાવો કરી શકતા નથી કારણ કે કાયદો સમાન રીતે લાગુ થાય છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલને સતત 9 વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ તેઓ એક પણ વખત તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. આ પછી EDએ તેની ધરપકડ કરી હતી.
21 માર્ચે કેજરીવાલની કરાઇ હતી ધરપકડ
EDએ 21 માર્ચે કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તેને 22 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે તેમને 6 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ કેસની સુનાવણી 28 માર્ચે થઈ હતી. આ દિવસે EDએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમની તપાસ હજુ પૂર્ણ થઈ નથી. આવી સ્થિતિમાં કેજરીવાલના રિમાન્ડ વધારવા જોઈએ. આ પછી કોર્ટે કેજરીવાલના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવ્યા હતા.
વધુ વાંચો: તરસેમ સિંહ હત્યાકાંડનો શાર્પશૂટર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, બીજો આરોપી ફરાર
1 એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે કેજરીવાલ
આ પછી 1 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં કેસની સુનાવણી થઈ. EDએ કોર્ટ પાસેથી કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી અને દિલ્હીના મુખ્યમંત્રીને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારથી કેજરીવાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. આ સાથે જ તેમની ધરપકડ સામેની અરજી પર આજે હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે. આવી સ્થિતિમાં તમામની નજર કોર્ટના નિર્ણય પર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ