બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જૈશ-એ-મોહમ્મદનું આતંકી કાવતરું નિષ્ફળ: ગુજરાત ATS એ 8 શંકાસ્પદોને દબોચ્યા

ગુજરાત / જૈશ-એ-મોહમ્મદનું આતંકી કાવતરું નિષ્ફળ: ગુજરાત ATS એ 8 શંકાસ્પદોને દબોચ્યા

Pravin Joshi

Last Updated: 06:33 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ભારત વિરોધી ષડયંત્રને ગુજરાત ATS એ નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી સંગઠનનું નેટવર્ક મજબૂત કરી રહેલા 8 આતંકી શંકાસ્પદોની ધરપકડ કરીને તેમની સામે UAPA હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પાકિસ્તાન ભારત વિરૂદ્ધ પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ અને કાવતરાં ઘડવામાંથી હજુ પણ ઊંચું આવતું નથી. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં પોતાનું આતંકી નેટવર્ક ફેલાવવાની ફિરાકમાં હતું, પરંતુ ગુજરાત એટીએસએ તેમની આ નાપાક સાજિશને સંપૂર્ણપણે નાકામ કરી દીધી છે. એટીએસ દ્વારા શુક્રવારના રોજ ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશમાં જૈશના નેટવર્કનો વ્યાપ વધારવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

પકડાયેલા આરોપીઓની સત્તાવાર યાદી

ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી ઝડપાયેલા જૈશના તમામ 8 આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે:

  • અહમદ અબ્દુલ્લા ગાઝીવાલા
  • ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘા
  • મુદસ્સિર અબ્દુલ્લા ગાઝીવાલા
  • ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા
  • મુફ્તી ફૌઝાન ઇસ્માઇલ દૌવા
  • મોહમ્મદ અમીન શેરા
  • મોહમ્મદ અબ્દુલ રહમાન સાવદી
  • બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા

ગુજરાતમાં આતંકી મોડ્યુલ ઊભું કરવાનો હતો પ્લાન

ATS ના સત્તાવાર નિવેદન અનુસાર, આ પકડાયેલા આરોપીઓ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદ સંગઠનની આતંકવાદી ગતિવિધિઓ અને દેશવિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં એક મજબૂત અને સક્રિય આતંકી નેટવર્ક સ્થાપિત કરવાના મિશન પર કામ કરી રહ્યા હતા. આ તમામ શંકાસ્પદો સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમના સેક્શન 13, 17, 18, 38 અને 39 હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 148 અને 61 પણ લગાવવામાં આવી છે.

ભારતમાં અત્યાર સુધીમાં 6 મોટા હુમલા કરી ચૂક્યું છે જૈશ

અત્રે નોંધનીય છે કે જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનની સ્થાપના વર્ષ 2000 માં કુખ્યાત આતંકી મસૂદ અઝહર દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન અત્યાર સુધીમાં ભારતમાં 6 વખત મોટા આત્મઘાતી અને આતંકી હુમલાઓ કરાવી ચૂક્યું છે:

April 2000: સેનાના હેડક્વાર્ટર પર 17 વર્ષના આત્મઘાતી આતંકી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરાયો.

October 2001: જમ્મુ-કાશ્મીર વિધાનસભા સંકુલ પર ભયાનક હુમલો કરવામાં આવ્યો.

January 2016: પઠાનકોટ એરબેઝ પર આતંકી હુમલો થયો.

September 2016: ઉરી (Uri) સ્થિત ભારતીય સેનાના હેડક્વાર્ટર પર આતંકીઓએ હુમલો કર્યો.

February 2019: પુલવામામાં CRPF ના કાફલા પર મોટો આત્મઘાતી હુમલો કરાયો હતો, જેમાં દેશના અનેક જવાનો શહીદ થયા હતા.

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસમાં મોટી હલચલ, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુખજિંદર સિંહ રંધાવા

ગુજરાત ATS ની આ સમયસરની અને સચોટ કાર્યવાહીને કારણે દેશમાં ફરી એકવાર કોઈ મોટી આતંકી ઘટના બને તે પહેલાં જ તેનું આખું નેટવર્ક ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TerrorPlotFoiled GujaratATS JaishEMohammed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ