ઇરાને પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી પોતાના બે સૈનિકો છોડાવ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ઇરાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરી
ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે બે સૈનિકોને છોડાવ્યાં
રિપોર્ટ મુજબ આતંકી સંગઠને 16 ઓક્ટોબરે કર્યું હતું અપહરણ
પાકિસ્તાનમાં એક વધુ સર્જીકલ સ્ટ્રાઇકના સમાચાર મળી રહ્યાં છે. જો કે આ વખતે આ સર્જીકલ સ્ટ્રાઇ ઇરાને કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ઇરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ (IRGC) દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને સૈનિકોને છોડાવી ગયું. ત્યાંની એક ફોર્સના નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની અંદર એક ગુપ્ત ઓપરેશનમાં પોતાના બે સૈનિકોને છોડાવામાં આવ્યાં છે.
દક્ષિણ-પૂર્વ ઇરાનમાં IRGC ગ્રાઉન્ડ ફોર્સના Quads બેઝના એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે, 'બે-અઢી વર્ષ પહેલા જૈશ ઉલ-અલદ સંગઠન દ્વારા બંધક બનાવામાં આવેલા પોતાના 2 સરહદ ગાર્ડને છોડાવા માટે મંગળવારે રાત એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું.'
આ ઓપરેશનમાં બંને ગાર્ડને છોડાવી લેવામાં આવ્યાં છે. નિવેદન અનુસાર સૈનિકોને સહી સલામત ઇરાન પરત મોકલી દેવામાં આવ્યાં છે. સૂત્રોને મળતી ખાનગી જાણકારી મુજબ ઇરાનની IRGCએ પાકિસ્તાનની અંદર આ ઓપરેશન પાર પાડ્યું છે.
એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના એક કટ્ટરપંથી વહાબી આતંકવાદી સંગઠન 'જેશ ઉલ-અદલ'એ 16 ઓક્ટોબર, 2018ના રોજ બંને દેશની સરહદ પર બલૂચિસ્તાન વિસ્તારના મર્કવા શહેરમાં 12 IRGC ગાર્ડને પાકિસ્તાનના ક્ષેત્રમાંથી અપહરણ કરી લીધા હતા. 15 નેવમ્બર, 2018ના પાંચ સૈનિકોને છોડી મૂકવામાં આવ્યાં હતા. ત્યાર બાદ 4 વધુ ઇરાની સૈનિકોને 21 માર્ચ 2019ના રોજ પાકિસ્તાન સેના દ્વારા રેસ્કયૂ કરવામાં આવ્યાં.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ ઓપરેશન બલૂચિસ્તાન પ્રાંતમાં કરવામાં આવ્યું. મંગળવારના રોજ સર્જીકલ સ્ટ્રાઇકથી ઇરાને પોતાના બે સૈનિકોને આતંકવાદી સંગઠનના કબ્જામાંથી છોડાવી લીધા.
આમ ઇરાન દ્વારા પાકિસ્તાનમાં બે વર્ષ પહેલા બંધક બનાવામાં આવેલા પોતાના 2 સૈનિકોને મુક્ત કરાવવા બ્લૂચિસ્તાન પ્રાતમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો.