RBIએ રેપો રેટ વધારવાનું એલાન કર્યું છે પણ પીપીએફ કે સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નાથી કર્યો.
30 સપ્ટેમ્બર 2022ના રોજ RBI રેપો રેટ વધારવાનું કર્યું એલાન
નાની બચત યોજનાઓમાં વ્યાજ દરો વધવાની સંભાવના
પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં
30 સપ્ટેમ્બર 2022ના રોજ RBI રેપો રેટ વધારવાનું કર્યું એલાન
30 સપ્ટેમ્બર 2022નાં રોજ સવારે આરબીઆઇ મોનિટરી મિટિંગ બાદ પોલિસી રેટ્સમાં વધારો થઈ શકે છે. માનવામાં આવી રહ્યું હતું કે આરબીઆઇ રેપો રેટમાં 0.50 ટકા વધારો કરીને તેને 5.40 ટકાથી 5.90 ટકા કરી શકે છે અને આ જ દિવસે સાંજે ફાઇનાન્સ મિનિસ્ટ્રી નાની બચત યોજનાઓનાં વ્યાજ દરોમાં સમીક્ષા કર્યા બાદ પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના એનસીસી જેવી બચત યોજના પર વ્યાજ દરો વધારવાનો નિર્ણય લઈ શકે છે. 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર હાલના ફાઈનાન્સિયલ યર 2022-23નાં ત્રીજા ક્વાર્ટર ઓકટોબરથી ડિસેમ્બર સુધી નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરોની સમીક્ષા કરશે, જ્યાર બાદ આ બચત યોજનાઓ સહિત પોસ્ટ ઓફિસની બીજી સ્કીમ્સ પર વ્યાજ દરો વધારવાનું એલાન કરી શકાય છે.
પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં
સરકારે કેટલીક નાની બચત યોજનાઓ પર જ વ્યાજ દરોમાં 0.3 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ સમયે અર્થતંત્રમાં વ્યાજ દર મજબૂત થઈ રહ્યા છે, જેને જોતા સરકારે આ પગલું ભર્યું છે. જો કે પગારદારોમાં પસંદગીની બચત યોજના પીપીએફ પર વ્યાજ 7.1 ટકા પર યથાવત રાખવામાં આવ્યું છે. આ સિવાય નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) પર પણ વ્યાજ દર 6.8 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સિવાય સુકન્યા સમૃદ્ધિના વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અન્ય પાંચ યોજનાઓના વ્યાજ
દરોમાં ૦.૩ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે પોસ્ટ ઓફિસમાં ત્રણ વર્ષની ડિપોઝિટ પર 5.8 ટકા વ્યાજ મળશે. અત્યાર સુધી આ દર 5.5 ટકા હતો. આ રીતે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વ્યાજદરમાં 0.3 ટકાનો વધારો થશે.
ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક માટે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર હવે 7.6 ટકા વ્યાજ મળશે. અત્યાર સુધી તેમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. કિસાન વિકાસ પત્રનો સમયગાળો અને વ્યાજ દર બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત કિસાન વિકાસ પત્ર પર વ્યાજ 6.9 ટકાથી વધીને 7.0 ટકા થઈ ગયું છે. હવે તે 124 મહિનાની જગ્યાએ 123 મહિનામાં મેચ્યોર થઈ જશે.
માસિક બચત યોજનામાં હવે 6.6 ટકાના બદલે 6.7 ટકા વ્યાજ આપવામાં આવશે. આરબીઆઈએ મે મહિનાથી મુખ્ય પોલિસી રેટ રેપોમાં ૧.૪ ટકાનો વધારો કર્યો છે. આ કારણે બેન્કો થાપણો પરના વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. પાંચ વર્ષની 'રિકરિંગ' કે ફોલોઓન ડિપોઝિટ પર પહેલાની જેમ 5.8 ટકા વ્યાજ મળશે.