બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતનો પાકિસ્તાની હાઇકમિશનનાં અધિકારીઓને 24 કલાકમાં દેશ છોડવા આદેશ

ગેટ આઉટ / ભારતનો પાકિસ્તાની હાઇકમિશનનાં અધિકારીઓને 24 કલાકમાં દેશ છોડવા આદેશ

Last Updated: 09:14 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. તેમને 24 કલાકની અંદર ભારત છોડી દેવા કહ્યું છે. પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીને કારણે ભારતે આ કાર્યવાહી કરી છે.

પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીને કારણે ભારતે આ કાર્યવાહી કરી છે. ભારતે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને આ સંદર્ભમાં ડિમાર્ચ (રાજદ્વારીમાં બીજા દેશ વિરુદ્ધ લેવાયેલું પગલું) જારી કર્યું છે અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશ (ભારત) છોડવા માટેનો આદેશ આપ્યો છે.

ભારતે પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યું

ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યો છે. તેમને 24 કલાકની અંદર ભારત છોડી દેવા કહ્યું છે. પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીને કારણે ભારતે આ કાર્યવાહી કરી છે. ભારતે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને આ સંદર્ભમાં ડિમાર્ચ (બીજા દેશ વિરુદ્ધ લેવાયેલું રાજદ્વારી પગલું) જારી કર્યું છે અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની હદ છોડી દેવા આદેશ આપ્યો છે.

પર્સોના નોનગ્રાટા જાહેર કર્યો

ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે અને તેમને 24 કલાકની અંદર દેશ છોડી દેવા કહ્યું છે. પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીને કારણે ભારતે આ કાર્યવાહી કરી છે. ભારતે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને આ સંદર્ભમાં ડિમાર્ચ (રાજદ્વારીમાં બીજા દેશ વિરુદ્ધ લેવાયેલું પગલું) જારી કર્યું છે અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા કહ્યું છે.

જો કે અધિકારીની શંકાસ્પદ પ્રવૃતિ અંગે માહિતી અપાઇ નથી

જોકે, સરકારે પાકિસ્તાની અધિકારીની ઓળખ અને તે કયા પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતો તે અંગે કોઈ માહિતી આપી નથી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેના સત્તાવાર દરજ્જા મુજબ ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આજે પાકિસ્તાન હાઇ કમિશનના ચાર્જ ડી'અફેર્સને ડિમાર્ચ જારી કરવામાં આવ્યું હતું.'

પહેલગામ હુમલા બાદ ભારતનું આક્રામક વલણ

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં નવી દિલ્હીએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં, ભારતે હવાઈ હુમલામાં જૈશ, લશ્કર અને હિઝબુલના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Persona Non Grata Pakistan High Commission Breaking News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ