દેશમાં બ્રિટેનમાં સામે આવેલ ખતરનાક કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 20 થઇ ગઇ છે. 13 દર્દીઓ કયા રાજ્યમાં છે તે હજી સ્પષ્ટ થયું નથી. આ વચ્ચે કેન્દ્ર સરકારે બ્રિટેન જતી અને આવતી ફલાઇટ પર 7 જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધ વધારી દીધો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિટેનથી આવતી-જતી ફલાઇટ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ સુરીએ આ અંગેની જાણકારી આપી.
એક સત્તાવાર નિવેદનમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું કે બ્રિટેનમાં હાલની પરિસ્થિતિને નજરમાં રાખતા ભારત સરકારે આ નિર્ણય લીધો છે કે બ્રિટેનથી ભારત આવનાર બધી ફલાઇટને અસ્થાયી રીતે 7 જાન્યુઆરી 2021 સુધી 11:59 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બરના રોજ 11.59 વાગે શરુ થયો હતો.
આ અગાઉ હરદીપ સિંહ પુરીએ ભારત આવનારા બધા યાત્રીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને 7 દિવસ સુધી ક્વોરોન્ટાઇનમાં ફરજિયાત રહેવું પડશે. પુરીએ કહ્યું કે અસ્થાયી પ્રતિબંધની તારીખની સમીક્ષા કરવામા આવશે. UKથી આવેલા આંધ્રની મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન, આઇસોલેશન સેન્ટરમાંથી ભાગીને ટ્રેનથી ઘર પહોંચી હતી.
નિષ્ણાંતોના મત મુજબ કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. જો કે એવુ સામે આવી રહ્યું છે કે આ નવા પ્રકારના વાયરસને વધારનારા પ્રોટીનમાં બદલાવ કરી નાંખ્યો છે, જેના દ્વારા તે શરીરની સ્વસ્થ કોશિકાઓ પર સરળતાથી હુમલો કરી શકે છે. તેનું ઝડપથી ફેલાવાનું કારણ આ જ છે.
ભારતમાં નવા સ્ટ્રેનવાળા 20 દર્દીઓની પુષ્ટિ
યૂનાઇટેડ કિંગડમથી પરત ફરેલા 20 યાત્રીઓમાં અત્યાર સુધીમં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ પહેલા અગાઉના દિવસે દેશમાં અલગ-અલગ ભાગમાં 6 જ કેસ સામે આવ્યા હતા. કોલકાતામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો મામલો સામે આવ્યો છે.
અત્યાર સુધીમાં 1423 લોકોનું થયુ છે ટ્રેસિંગ
સરકારના એક નિવેદન મુજબ અત્યાર સુધીમાં બ્રિટેનથી પરત ફરેલા 1423 લોકોને ટ્રેસ કરવામાં આવ્યાં છે. 17 લોકોની શોધ કરવામાં આવી રહી છે. બ્રિટેનથી 1406 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં 12નો રિપોર્ટ પોઝિટવ આવ્યો. તેમના સંપર્કમાં આવેલા 6364 લોકોમાંથી 12 સંક્રમિત થયા છે. બધાના સેમ્પલ જીનોમ સીક્રેસિંગ માટે હેદરાબાદ મોકલવામાં આવ્યાં છે.