પાકિસ્તાન તથા નેપાળ સાથેના વિવાદ પર હજી પાણી નથી રેડાયું ત્યાં ગતરાતે ભારત અને ચીન વચ્ચે LAC પર હિંસક અથડામણ થઇ જેમાં ભારતીય સેનાના 2 જવાન તથા એક અધિકારી શહીદ થયાં તો ભારત દ્વારા કરવામાં આવેલ વળતા પ્રહારને પગલે ચીનના 5 સૈનિકો માર્યા ગયા અને 11 સૈનિકો ઘાયલ થયાં છે. જણાવી દઇએ કે, 1962 પછીની આ પ્રથમ ઘટના છે જેમાં ભારત-ચીન બોર્ડર પર આમને-સામને થયાં છે.
ભારત અને ચીન વચ્ચે LAC પર હિંસક અથડામણમાં 3 ભારતીય જવાન શહીદ
1962 બાદ ફરી એકવાર બની હિંસક અથડામણ
જાણો, ઐતિહાસિક વિવાદનું મૂળ ક્યાં છે?
ઉલ્લેખનીય છે કે, 58 વર્ષ પહેલા જ્યાં ભારત અને ચીન વચ્ચે જે ઘાટીને લઇને યુદ્ધ થયું હતું તે સ્થળે ગઇકાલે ફરી એકવાર હિંસક માહોલ સર્જાયો અને બંન્ને રાષ્ટ્રોની સેનાએ એકબીજા પર ફાયરીંગ કર્યું હતું. આ ગાલવાન ઘાટ લદ્દાખ ક્ષેત્રમાં આવેલી છે અને છેલ્લા 7 દાયકાથી આ વિવાદ ચાલ્યો આવે છે. ત્યારે ભારત-ચીન વચ્ચે આખરે શેનો છે વિવાદ? સમજો સરળ શબ્દોમાં.
7 દાયકાના સંબંધોનો સારાંશ
1 એપ્રિલ 1950માં ભારત-ચીનએ રાજદૂત સંબંધ સ્થાપિત કર્યા
1951માં ચીને તિબ્બત પર આક્રમણ કરીને તેના પર કબજો મેળવી લીધો
1954માં ભારત અને ચીને પંચશીલ કરાર પર હસ્તાક્ષર કર્યા
1957માં ચીને ભારતના કેટલાક ભાગ પર હક જમાવવાનું શરૂ કર્યું
1959માં ચીને કહ્યું કે લદ્દાખ અને નેફાનો 40 હજાર માઈલ વિસ્તાર ચીનનો છે
3 એપ્રિલ 1959માં તિબ્બતના દલાઈ લામા ભાગીને ભારત આવી ગયા
1959માં ચીને સિક્કિમ અને ભૂટાનના 50 હજાર વર્ગ માઈલ વિસ્તાર પર દાવો કર્યો
ફેબ્રુઆરી 1961માં ચીને સીમા વિવાદ પર ચર્ચાથી ઈનકાર કરી દીધો
ચીની આર્મી ભારતીય સીમાના પશ્ચિમી સેક્ટરમાં ઘુસી ગઈ
નવેમ્બર 1962માં ચીને લદ્દાખ અને નેફામાં સીમા પાર આવીને ભારત પર આક્રમણ કર્યું