બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વસતી ગણતરીમાં પૂછવામાં આવેલા 33 સવાલોના જવાબ આપવા જરુરી છે? ખોટા જવાબ પર શું થશે?
Last Updated: 04:22 PM, 8 June 2026
2027 ની વસ્તી ગણતરી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં પ્રથમ આવાસ ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. એના માટે લોકોને 33 પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આવાસ ગણતરી દરમિયા લોકોને તેમના ઘરો, પરિવારો અને લાઇફસ્ટાઇલ વિશે પૂછવામાં આવતા પ્રશ્નો અંગે ઘણી ચિંતાઓ હોય છે. જેમાં એક એ છે કે શું બધા પ્રશ્નોના જવાબ આપવા જરૂરી છે. બીજું કે જો કોઈ પ્રશ્નનો જવાબ ખોટો આપવામાં આવે તો કયા પગલાં લઈ શકાય?
ADVERTISEMENT
વસ્તી ગણતરી 2027 ની રૂપરેખા બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલ છે. જેમાં પહેલું આવાસ ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી અધિકારીઓ દરેક ઘરની મુલાકાત લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ, સુવિધાઓ અને રહેવાસીઓ વિશે મૂળભૂત માહિતી ભેગી કરી રહ્યા છે. આ માહિતી ઘરના વડાને 33 પ્રશ્નો પૂછીને ભેગી કરવામાં આવે છે, જે ઓનલાઈન રેકોર્ડ કરવામાં આવે છે. રજિસ્ટ્રાર જનરલ જણાવે છે કે આ પ્રક્રિયાનો પ્રાથમિક ઉદ્દેશ્ય જમીની વાસ્તવિકતાઓને સચોટ રીતે સમજવા અને મુખ્ય વસ્તી ગણતરી કાર્યને સરળ બનાવવાનો છે. ત્યાર બાદ વસ્તી ગણતરીનો બીજો તબક્કો 1 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ADVERTISEMENT
વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો હેતુ લોકોના જીવનધોરણનું મૂલ્યાંકન કરવાનો છે. આથી પૂછવામાં આવતા 33 પ્રશ્નો સુવિધાઓ પર ફોક્સ કરે છે. આમાં ઘરમાં કેટલા લોકો રહે છે, ફ્લોરિંગ કેવા પ્રકારનું છે, દિવાલો અને છત કઈ સામગ્રીથી બનેલી છે, પીવાના પાણીની સુવિધા કઈ છે અને ઘરનો વડા કોણ છે જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ પ્રશ્નોમાં પાણી, શૌચાલય, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સિવાય લોકોના જીવનધોરણનો સચોટ ડેટા ભેગા કરવા માટે કાર, બાઇક, સાયકલ અને બીજા વાહનો વિશેની માહિતી પણ ભેગી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દેશના નાગરિક તરીકે કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કરી શકે નહીં. વસ્તી ગણતરી અધિકારીઓ પણ આ માહિતીને માત્ર પોર્ટલ પર અપડેટ કરવા અને તેને બીજી જગ્યાએ જાહેર ન કરવા માટે જવાબદાર છે. જો કોઈ ખોટી માહિતી આપે છે તો તેમને 1948 ના વસ્તી ગણતરી અધિનિયમ હેઠળ દંડ થઈ શકે છે. પણ આ તેમની નાગરિકતાને અસર કરશે નહીં. તમારા પ્રશ્નો સરકાર માટે પણ મહત્વના છે. આથી તમને હાલમાં જે સેવાઓનો અભાવ છે તે ભવિષ્યમાં સુલભ બનાવી શકાય.
જનગણનાના 33 પ્રશ્નો કયા?
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.