બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Gujarat Vidyapeeth, girl students were banned from singing garba

વિવાદ / ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર મૂકાયો પ્રતિબંધ, અપાઇ છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી!, જાણો શું છે સમગ્ર આક્ષેપ

Malay

Last Updated: 09:01 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ન રમવા સૂચના આપવામાં આવતા વિવાદ, વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું કે, આ મુદ્દે મને કોઈ જાણ નથી

 

  • ગૂજરાત વિદ્યાપીઠમાં વધુ એકવાર વિવાદ 
  • વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ 
  • મહોત્સવમાં વિદ્યાર્થિઓને ગરબા ન રમવા સૂચના 

Ahmedabad News: અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબાને લઈને વિવાદ સર્જાયો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં નવરાત્રી મહોત્સવને લઈને નવા સત્તાધીશોની વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચેની ભેદભાવભરી નીતિઓથી ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાપીઠ પરીસરમાં 50 વર્ષથી યોજાનારા ગરબા મહોત્સવમાં આ વખતે વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર સદંતર પ્રતિબંધ લાદવામાં આવતા વિદ્યાર્થિનીઓ લાલઘુમ થઈ ગઈ છે. 

ગુજરાત વિદ્યાપીઠનો પરીક્ષા કાર્યક્રમ જાહેર, જાણો સમગ્ર ટાઇમટેબલ | Gujarat  Vidyapeeth examination will be held from 6th august

ગૃહમાતા દ્વારા અપાઈ ધમકી
ગૂજરાત વિદ્યાપીઠની વહીવટી તંત્રના નિર્ણયનો જો કોઈ વિદ્યાર્થિની વિરોધ કરશે તો તેને છાત્રાલયમાંથી કાઢી મુકવામાં આવશે તેવી ધમકીઓ પણ ગૃહમાતા દ્વારા આપવામાં આવી છે. આ અંગે વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધ્યક્ષોએ પણ આ મુદ્દે મગનું નામ મરી પાડવાની તસ્દી લીધી નથી. ગુજરાત વિદ્યાપીઠના નવા વિવાદથી ચકચારી મચી ગઈ છે. 

આ મુદ્દે મને કોઈ જ જાણ નથીઃ કુલનાયક
આ મામલે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું કે, નવરાત્રીનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ મામલે મને કોઈ જ જાણ નથી. તો કન્યા છાત્રલયના ગૃહમાતા રીટબેન પટેલે જણાવ્યું કે, મને પણ આ મામલે કઈ જ ખબર નથી, તમે વાઈસ ચાન્સેલરને જઈને પૂછો.

ગૂજરાત વિદ્યાપીઠમાં 25 વર્ષથી નોકરી કરતાં કર્મીઓનો 'સફાયો', 120 કર્મચારીઓની  કરી છટણી, ટ્રસ્ટી અને VCએ જવાબ આપવાનું ટાળ્યું | More than 120 employees  were ...

કેમ્પસમાં 50 વર્ષથી કરાય છે ગરબાનું આયોજન 
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાપીઠના કુમાર વિનયમંદિર સ્કૂલના કેમ્પસમાં છેલ્લા 50 વર્ષથી નવારાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ભાગ લેતા હોય છે. જેમાં સૌથી પહેલા વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબા રમવામાં આવે છે. 11 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીઓના ગરબા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ગરબા યોજાય છે. પરંતુ આ વખતે અચાનક જ છાત્રાલયમાં ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓના ગરબા ગાવા જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Gujarat Vidyapeeth girl students અમદાવાદ ન્યૂઝ ગૂજરાત વિદ્યાપીઠ વિદ્યાર્થિનીઓને અપાઈ સૂચના ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ