બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / if conversions do not stop we will make Law says mansukh vasava

નિવેદન / VIDEO : સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, કહ્યું-ધર્મ પરિવર્તન કરનારાઓને કાઢી મુકવા જોઈએ

Kavan

Last Updated: 06:46 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેતા સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના એક કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

  • ધર્મ પરિવર્તન પર મનસુખ વસાવાનુ નિવેદન
  • આદિવાસીના ધર્મ પરિવર્તન પર આપ્યુ નિવેદન
  • "ધર્મ પરિવર્તન કરનારને કાઢી મુકવા જોઈએ"

નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચની તાજેતરમાં જાહેરસભા યોજવામાં આવી હતી, જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા  હાજર રહ્યા હતા. આ જાહેરસભામાં મનસુખ વસાવાએ સંબોધન કર્યું હતું અને હિન્દૂ ધર્મ પર ટીકા ટિપ્પણી કરનાર તેમજ ધર્મ પરિવર્તન કરવાનારાઓને આડેહાથ લીધા હતા.

કાયદો બનાવવાની પણ અમારી તૈયારી: વસાવા 

મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ  મુઘલ સામ્રાજ્ય થઈ જશે. આમારા જેવા વિચારધારાના લોકો બેસી નથી રહેવાના.  જો ધર્મ પરિવર્તન ચાલુ રહેશે તો પછી કાયદો બનાવવાની પણ અમારી તૈયારી છે. 

ધર્મ પરિવર્તન કરનારને આદિવાસી સમાજથી કાઢી મુકવા જોઈએ

સાથે જ તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના લોકોના આદિવાસી  તરીકેના લાભો બંધ કરી દેવા પડશે અથવા સમાજમાંથી જ કાઢી મુકવા પડશે.

પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે વસાવા

ગુજરાત ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ ફરી વાર લેટર બોમ્બ ફોડ્યો છે. મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે. 

660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો

મનસુખ વસાવાએ પત્ર લખીને ભરતી પ્રક્રિયાની ગેરરીતીની તપાસ કરવા માંગ કરી છે. સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવાંની ભરતી કરાયાનો આક્ષેપ લગાવ્યો છે. ખોટી રીતે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી રદ કરવાની મનસુખ વસાવાએ માંગ કરી છે. તાજેતરમાં જ 660 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, 660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો અને 85 ટકા જેટલાં ઉમેદવારો અન્ય રાજ્યોના એટલે કે તેઓ સ્થાનિક નથી. ભરતી પ્રક્રિયામાં અન્ય રાજ્યોના ઉમેદવાર હોવાનો મનસુખ વસાવા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો.

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Vasava Video ધર્મ પરિવર્તન મનસુખ વસાવા Narmada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ