બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / Politics / I will contest the election on Anand seat, Mitesh Patel clarified not to get involved in rumours
Vishal Dave
Last Updated: 06:24 PM, 23 March 2024
આણંદ લોકસભા બેઠક પર ભાજપે મિતેષ પટેલને ટીકિટ આપી છે.. દરમ્યાન વડોદરાથી રંજનબેને ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ એવી અફવા હતી કે આણંદ બેઠકથી મિતેષ પટેલ પણ બદલાશે. જેને લઇને મિતેષ પટેલે સ્પષ્ટતા કરી છે.. તેમણે જણાવ્યું છે કે આણંદ બેઠક પરથી તેઓ જ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે.. માટે લોકો અફવાઓમાં ન દોરવાય..
આણંદ બેઠક પર મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા છે મેદાનમાં
આણંદ બેઠક પર ભાજપે સીટીંગ સાંસદ મિતેશભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. તો તેમની સામે કોંગ્રેસે આકલાવના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે આ બંને ઉમેદવારોએ આણંદ બેઠક કબજે કરવા માટે પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. બંને ઉમેદવારો આ બેઠક પર જીત મેળવવાનો દાવો પણ કરી રહ્યા છે. ત્યારે, ભારતીય જનતા પાર્ટી આણંદ બેઠક પરના પોતાના ઉમેદવાર મિતેશ પટેલને બદલીને અન્ય ઉમેદવારને ટિકિટ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતુ..જેને લઇને મિતેષ પટેલને સ્પષ્ટતા આપવી પડી હતી.
રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે
મહત્વપૂર્ણ છે કે વડોદરામાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી, પરંતુ તેમને ટિકીટ આપવાને લઇને ભારે વિરોધ થયા બાદ તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે અંગત કારણોસર તેઓ ચૂંટણી નહીં લડે તેમ જણાવ્યું છે.. ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી છે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા
આ તરફ વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા. આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબુક પર પોસ્ટ મૂકીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime