નારણપુરામાં રહેતી પરણિતાએ અમેરિકામાં રહેતા પતિ અને સાસરિયા વિરુદ્ધમાં માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.પતિ તેને મૂકીને પરત અમેરિકી જતો રહ્યો હતો. જ્યારે સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલા બે વર્ષથી પછી ગઈકાલે ફરિયાદ કરી છે.
નણંદ-સાસુને પરણિતા અમેરિકા રહેવા ગઈ તે ન ગમ્યુ
પતિ ભાંડતો ગાળો અને કરતો મરજી વિરૂધ્ધ બળજબરી
મહિલા પોલીસ સ્ટેશનમાં કંટાળીને કરી ફરિયાદ
નારણપુરામાં રહેતી ૨૯ વર્ષીય મહિલા લગ્ન મુંબઈ ખાતે રહેતા જય પુરોહિત સાથે જુલાઈ ૨૦૧૫માં સાથે લગ્ન થયાં હતાં. જય અને તેનો પરિવાર અમેરિકા રહેતો હતો, અને લગ્નના થોડા મહિના પછી સાસુ નણંદને તે અમેરિકા રહેવા ગઈ તે ગમતું ન હતું.
પતિ કરતો હતો બળજબરી
જેથી તેઓ પરણિતાને વારંવાર ટોણાં મારતાં હતાં અને સાસુ કહેતાં હતાં કે તારી માએ અમને લગ્નમાં સાચવ્યા પણ નહીં તેમ કહીને અવારનવાર ગાળો બોલીને ઝઘડો કરતાં હતાં. પરણિતાના પતિને સાસુ કહેતાં કે આની સાથે તેં લગ્ન કરીને કોઈ ફાયદો કર્યો નથી.અમેરિકન સિટીઝન છોકરી સાથે લગ્ન કર્યાં હોત તો તને ફાયદો થાત.પત્નીને પતિ ગંદી ફિલ્મ બતાવીને ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો.
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
તા ૭ જૂન ૨૦૧૬માં પતિએ પપ્પાને હાર્ટએટેક આવ્યો છે. તેમ કહીને તે અમેરિકાથી મુંબઈ લઈ ગયો હતો. ત્યાર બાદ જય એકલો અમરિકા ચાલ્યો ગયો હતો. તે પછી સાસરિયાઓએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેથી પરિણીતાએ પતિ તેમજ સાસુ નણંદ વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.